Gujarat Election 2022, અતુલ તિવારી/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીમાં સભાઓ ગજવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના અલગ અલગ વિસ્તારો ખૂંદી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આણંદ જિલ્લાના ખંભાતમાં સભા કરી છે. ખંભાતમાં આવેલા ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ગૃહમંત્રી અમિત શાહ સભા સંબોધી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ખંભાત ગુજરાતના સૌથી જૂના શહેર તરીકે જાણીતું છે. ગુજરાતની સમૃદ્ધિ માટે ખંભાતના બંદરો હતા. ગુજરાતી વેપારીઓએ વિશ્વમાં વેપારને પહોંચાડ્યો હતો. ત્યારે ભાજપનો સવાલ છે ત્યાં સુધી ભાજપ પર ખંભાતનું મોટું ઋણ છે. નગરપાલિકા હોય, ખત્રી, શિરીષ, સંજય કે મહેશભાઈને જીતાડવાનાં હોય ક્યારેય ખંભાતે કંજૂસી કરી નથી. આણંદ જીતવાની હોય એટલે વાત ખંભાતની નીકળે એટલે ચહેરા પર હાસ્ય હોય. ભાજપે ગુજરાતમાં 1995 થી 2022 સુધી ખૂબ મોટું પરિવર્તન કર્યું છે.


અમિત શાહે વધુમાં જણાવ્યું કે, હરિસિદ્ધિ માતાની ભૂમિએ હમેશા ભાજપને ટેકો આપ્યો છે. 22માં કોંગ્રેસીયા ચૂંટણી આવી એટલે નવા કપડાં પહેરીને તૈયાર છે. રાજ્યમાં મોટા બોર્ડ માર્યા છે, કોંગ્રેસનું કામ બોલે છે, અરે ભઈ 90થી સત્તામાં નથી, કામ શું કર્યું, કેવી રીતે કર્યું? રોડ, રસ્તા, બંદર, વીજળી, મહિલાઓની યોજના તમે નહીં પણ ભાજપે કર્યું છે. ભાજપે રાજ્યથી શરૂઆત કરી પરિવર્તનનો માહોલ ઉભો કર્યો. ખબર નહીં શું તાવ આવ્યો છે, કોંગ્રેસ સરદાર પટેલનું નામ લે છે. હું તો જન્મ્યો ત્યાંથી સરદારનું નામ આ લોકો લેતા બિતા. પટેલના અગ્નિ સંસ્કાર સન્માન સાથે ના થાય, સ્મારક ના બને, ભારત રત્ન ના મળે એ બધું કામ કોંગ્રેસે કર્યું. પરંતુ નરેન્દ્ર ભાઈએ દુનિયાનું સૌથી મોટું પૂતળું બનાવી શ્રધ્ધાંજલિ આપી. કોંગ્રેસીયા સરદાર સાહેબનું નામ વટાવે છે. નહેરુ, સોનિયાએ સરદારનું નામ ના થાય એવું સતત કામ કર્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube