અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. 2022ની ચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે. મહાસંગ્રામમાં જીત હાંસલ કરવા માટે હવે દરેક પાર્ટીએ પોતાના આયુધ તૈયાર કરી લીધા છે. આ વખતનો ચૂંટણી 2022નો ચૂંટણી સંગ્રામ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે. આ વખતે ત્રિપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કયા મુદ્દાઓ પર લડાઈ રહી છે 2022ની વિધાનસભા ચૂંટણી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક ચૂંટણીમાં અલગથી ખાસિયતો હોય છે, અને નવા પડકારો હોય છે અને પડકારો પ્રમાણે થતી હોય છે રણનીતિ. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ચોક્કસ રણનીતિ સાથે ભાજપ આગળ વધતી હોય છે. ત્યારે આ રણનીતિકારો 2022માં કંઈ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. તે અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જનતાને અસર કરતા મુદ્દાઓ પર શું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જવાબ.. ZEE 24 કલાક પર જુઓ..


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube