અતૃલ તિવારી, અમદાવાદ: 23મી એપ્રિલના રોજ રાજ્યની તમામ 26 બેઠકો પર મતદાન યોજાવાનું છે. ત્યારે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થઈ શકે તેવા વિવિધ પ્રકારના પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી અમદાવાદના ઉપક્રમે જિલ્લાના શતાયુ મતદારોનો સન્માન સમારોહ યોજાયો. નોંધણી મુજબ અમદાવાદ જિલ્લામાં આશરે 719 જેટલા શતાયુ મતદારો નોંધાયા છે. જેમાંથી શતાયુ મતદારોના સન્માન કાર્યક્રમમાં આશરે 200 જેટલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...