પ્રેમલ ત્રિવેદી, પાટણ: રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોની સુવિધા અને સહુલિયત માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે.. હોસ્પિટલો અને શાળાઓનું નિર્માણ કરે છે.. પરંતુ, ઘણી વખત પ્રજાના નાણાં ભ્રષ્ટાચારીઓના કારણે વેડફાય જાય છે.. આ પ્રકારની જ ઘટના પાટણમાં બની.. જ્યાં સિદ્ધપુરમાં 10 વર્ષ પહેલાં બનેલી બિનઉપયોગી હોસ્પિટલ ખંડેર બની ગઈ અને જ્યારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ તો સરકારે કહ્યું હવે આની જરૂર નથી.. સવાલ એ છેકે, જો જરૂર જ ન હતી તો 10 કરોડ રૂપિયાની હોસ્પિટલ શું ધૂળ ખાવા બનાવી હતી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બનેલી 18 કરોડ રૂપિયાની આયુર્વેદિક હોસ્પિટલ છે.. જેની આજની પરિસ્થિતિ અમે તમને જણાવી રહ્યા છીએ.. વિવાદિત એટલા માટે કેમ કે, આ હોસ્પિટલનું નિર્માણ થયાને 10 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે.. જેની સરકારની નજરમાં જ કોઈ વેલ્યૂ નથી.. સિદ્ધપુરમાં મોટેપાયે મેડિકલ કેમ્પસ આવેલા છે, જેમ કે ડેન્ટલ, આયુર્વેદ, FSL, કેન્સર હોસ્પિટલ તેમજ નર્સિંગ કેમ્પસ છે.. એમાંનો એક આયુર્વેદ કેમ્પસ છે, જે 2013-14ની સાલમાં બનીને તૈયાર થઇ ગયો હતો, પરંતુ એનું પઝેશન ઘણા સમય સુધી આયુર્વેદિક વિભાગે લીધું જ નહીં.. એના કારણે આ ઇમારત અવાવરૂ થઇ ગઈ છે.. ત્યાંથી નળ, વોશબેસિન સહિતનો ઘણો સામાન ચોરાઈ ગયો છે.. 


આ આયુર્વેદિક હોસ્પિટલ સિદ્ધપુરના દેથલી ગામ નજીક 15 વીઘા જમીન પર બનાવવામાં આવી હતી.. સરકારી તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે કરોડો રૂપિયાની આ હોસ્પિટલ બીન ઉપયોગી અને ખંડેર હાલતમાં પડી છે.. રાજકીય કાવાદાને લઈને સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


આ પણ વાંચોઃ " પહેલા પણ ગૃહ મંત્રી આજ હતા અને આજે પણ આજ છે ", અમને હર્ષ સંઘવી પર પણ ભરોસો નથી


કરોડો રૂપિયાની હોસ્પિટલ ખંડેર હાલત બની જતાં આ મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.. સિદ્ધપુરના જાગૃત નાગરિક વિકાસ પટેલે આ બાબતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને કોર્ટે આ મામલે સરકારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે..  કોર્ટે સરકારને કહ્યું કે, એટલું જ નહીં હોસ્પિટલને ફરીથી ઉપયોગમાં લેવા સરકારે 3.54 કરોડનો ખર્ચ કરવાની પણ તૈયારી દર્શાવી છે.. 


સિદ્ધપુરની અન્ય મેડિકલ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે એ નક્કી નથી, પરંતુ સિદ્ધપુરની આયુર્વેદ હોસ્પિટલ મુદ્દે હાઇકોર્ટમાં સરકારે જવાબ રજૂ કરી દીધો છે અને આ મામલે હવે 21 જૂનના રોજ સુનાવણી કરવામાં આવી શકે છે.. એટલે હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યા બાદ વર્ષોથી લટકી પડેલા આરોગ્યના પ્રશ્નનો નિકાલ આવે એવી સંભાવના છે.