ચોમાસામાં પશુઓને ઘાતક બીમારીઓથી કેવી રીતે બચાવશો? જાણો સરકારે શું કરી છે વ્યવસ્થા?
રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ૫.૫૩ લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, ૬૨ લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, ૪૪ લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, ૧.૬૬ લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા ૧.૫૪ કરોડ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ કરાયું છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ભારત સરકારની ૧૦૦ ટકા સહાયથી રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.
નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલની તોડફોડ આગાહી
મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ૫.૫૩ લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, ૬૨ લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, ૪૪ લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, ૧.૬૬ લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા ૧.૫૪ કરોડ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ કરાયું છે.
ગુજરાતમાં કઈ જગ્યાએ પૂર આવશે તે 10 દિવસ પહેલા ખબર પડી જશે! જાણો શું છે આ સિસ્ટમ?
આ ઉપરાંત ઈયર ટેગીંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અવ્વલ છે. અત્યાર સુધીમાં ૨.૪૬ કરોડ મોટા પશુઓ અને ૧૧ લાખ ઘેટાં-બકરા મળીને કુલ ૨.૫૭ કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી છે.
નવા-જૂના ફ્લેટ વચ્ચે હોય છે આસમાન-જમીનનું અંતર! જાણો હોશિયાર લોકો ખરીદે છે કેવુ મકાન