અજય શીલુ/પોરબંદર : પોરબંદરમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે. એક પિતાએ પોતાના બંને સંતાનોને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યા હતા. આ શખ્સના આત્મહત્યા કરવા પાછળનું કારણ પત્નીનો વિરહ છે. પત્નીના મોત બાદ પતિએ આ પગલુ ભર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના રાણાવાવના અણીયારી ગામે કમકમાટીભર્યો બનાવ બન્યો છે. પિતાએ પોતાના બે બાળકોના મોત નિપજાવ્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, થોડા સમય પૂર્વે પત્નીનું અકસ્માતમાં મોત થતા પતિને બાળકોની ચિંતા સતાવી રહી હતી. તેથી બાળકોના ભવિષ્યને લઈને ચિંતા સતાવતી હોવાથી આ પગલું ભર્યાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આ આત્મહત્યાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 


ગળાફાંસો ખાધા પહેલા શખ્સે પોતાના હાથની નસ પણ કાપી લીધી હતી. વ્યક્તિએ પોતાના દેશી નળિયાવાળા મકાનના લાકડા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આમ, પોલીસને ઘરમાંથી બે બાળકો અને આ વ્યક્તિ સહિત ત્રણ લોકોની લાશ મળી આવી હતી.