ગૌરવ પટેલ/અમદાવાદઃ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ ગુરૂવારે એક ટ્વીટ કરીને અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડની ખરાબ સ્થિતિ અંગે ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણી બાદ ઔડાના અધિકારીઓને આ મુદ્દે પત્રકાર પરિષદ કરીને ખુલાસા કરવાની ફરજ પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈ.કે. જાડેજાએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. શું ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રીજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જવાબદારી બનતી નથી.?"


ઔડાના સીઈઓ એ.બી. ગૌરે પત્રકાર પરિષદમાં ખુલાસા કરતા જણાવ્યું કે, "છેલ્લા 3 દિવસથી સમારકામની કામગીરી ચાલુ છે. ઔડા દ્વારા સમગ્ર રિંગરોડ પર હાલ 7 જગ્યાએ બ્રીજનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલુ છે. રોડ-રસ્તાના ટેન્ડરમાં ત્રણ વર્ષ સુધી રસ્તાના મેઈન્ટેનન્સી જવાબદારી જે-તે કંપનીની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલી હોય છે. સાથે જ ઔડાના અધિકારીઓ રોડનું સતત મોનિટરિંગ કરતા હોય છે."


સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનો મુખ્ય ડેપો બનાવવાનો નિર્ણય, પ્રોજેક્ટની કામગીરી થયો પ્રારંભ


પત્રકારોના સવાલોનો આપ્યો ગોળ-ગોળ જવાબ
પત્રકાર પરિષદમાં સીઈઓ એ.બી. ગૌરે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. પત્રકારો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોનો પણ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પત્રકારોના દરેક સવાલનો ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. તેમણે 


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...