Gujarat Education અતુલ તિવારી/અમદાવાદ : છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ કથળેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. IAS અધિકારી ધવલ પટેલે  પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે. જે બાદ શિક્ષણ વ્યવસ્થા પર સવાર ઉઠ્યા છે. ધવલ પટેલે  શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુરની છ શાળાની મુલાકાત લીધી હતી. જે બાદ  છ ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો છે. શિક્ષણનું સ્તર અત્યંત નિમ્ન હોવાનો ધવલ પટેલે ઉલ્લેખ કરવામાં આવ્યો છે..પત્રમાં એવો ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,  ધોરણ 8ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ નથી આવડતું. બાળકોને સમાનાર્થી અને વિરોધી જેવા સામાન્ય શબ્દનો અર્થ ખબર ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.. વાંચતા-લખતા ન આવડતું હોવા છતાં વિદ્યાર્થીઓ પાસ થયા હોવા પર ધવલ પટેલે  સવાલ ઉઠાવ્યા છે..છ માંથી માત્ર એક જ શાળાના બાળકોના વ્યવસ્થિત શિક્ષણ મળતું હોવાનો ધવલ પટેલનો દાવો છે. ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ધવલ પટેલે ઉઠાવેલા આ સવાલો અંગે તેમના વખાણ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલે શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખ્યો છે. શાળા પ્રવેશોત્સવ સમયે છોટાઉદેપુરની 6 શાળાઓની કરેલી મુલાકાત અને અનુભવેલી પરિસ્થિતિઓ અંગે લખેલા પત્ર મામલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ધવલ પટેલના વખાણ કરતા કહ્યું કે, બહુ સારું, બહુ સારું, તમે સારા અમે સારાને બદલે જે પાટીદારપણું બતાવી સત્ય કહ્યું અને લેખિતમાં લખ્યું છે એ બદલ અભિનંદન. શિક્ષણ ધીમે ધીમે અધોગતિ તરફ જઈ રહ્યું છે. 


ગુજરાતી IAS ઓફિસરનો લેટર બોમ્બ, શિક્ષણ સડેલું હોવાનો પુરાવો આપી સરકારની પોલ ખોલી


આ સાથે જ ભાસ્કર પટેલે શિક્ષણની જવાબદારી રાજ્યના કોઈ IAS અધિકારીને આપવામાં આવે તેવી માંગ કરી છે. તેઓએ કહ્યું કે, સ્થાનિક IAS ને ખ્યાલ હોય કે ગામડામાં શુ સ્થિતિ હોય છે, બહારના IAS પણ સારા અધિકારી હોય છે પણ સ્થાનિક સમસ્યાઓ અંગે ચોક્કસ ખ્યાલ નથી હોતો. રાજ્યમાં કયાં જિલ્લામાં શુ સ્થિતિ છે, એ રાજ્યમાં રહેતો વ્યક્તિ સારી અને સરળ રીતે સમજી શકે છે. 


મહેસાણા : વતનમાં દર્શન કરવા જતી દંપતીને અકસ્માતમાં કાળ ભરખી ગયો, ડ્રાઈવરનું પણ મોત


શિક્ષણ મંત્રીનો જવાબ 
IAS ધવલ પટેલ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવેલા રિપોર્ટ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ પ્રતિક્રિયા આપી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી સમગ્ર મામલો મને ખ્યાલ આવ્યો છે. સમગ્ર મામલાની વિગત લક્ષી તપાસ કરાવીને રિપોર્ટ મેળવવામાં આવશે. બોર્ડર વિસ્તારમાં કંઈ કઈ ખામીઓ છે તે જાણવા માટે જ રાજ્ય સરકાર દ્વારા સચિવો તેમજ પદાધિકારીઓને આ વખતે મોકલવામાં આવ્યા હતા. બોર્ડર વિસ્તારોમાં જે કમીઓ ખામીઓ છે તે દૂર કરવામાં આવશે. છોટાઉદેપુરમાં જે ક્ષતિઓ સામે આવી છે તેમાં હજુ પણ જે બાબત ઉમેરવાની હશે તે ઉમેરીને શિક્ષકો વાલીઓ સાથે મળીને આગળ વધી ને બાળકોને સારું શિક્ષણ મળે તે દિશામાં કામ કરીશું. 


હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ : આજે ગુજરાતના આ 3 જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ


ડાયરામાં ફેમસ થયેલા કમાભાઈની એક ઝલક જોવા અમદાવાદ એરપોર્ટ પર ભીડ ઉમટી, PHOTOs