અમદાવાદઃ અમદાવાદના પડોશી જિલ્લામાં રેલવેની કાયાપલટ થશે. આ રેલવે સ્ટેશન મુંબઈથી દિલ્હીને જોડતા રેલવે ટ્રેક પર આવેલું છે. કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર ,નડિયાદ મુકામે એક બેઠક મળી હતી. જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ દ્વારા નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ રેલવે સ્ટેશન બન્યું તો નડિયાદમાં રેલવેની આસપાસની પ્રોપર્ટીના ભાવમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ  બેઠકમાં  નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવા બાંધકામ અંગે આર્કિટેક ઇજનેર મોહમદજી દ્વારા પાવર પોઇન્ટ ડેમો - બ્લુ પ્રિન્ટ રજૂ થઈ હતી. જેમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં નડિયાદ મહાનગર પાલિકા બનવા જઈ રહ્યું  છે. નડિયાદ ખેડા જિલ્લાનું  અતિ મહત્વનું નગર છે, ત્યારે અંદાજીત રૂ.૫૦૦ કરોડના ખર્ચે નડિયાદના રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ અને બાંધકામનો  પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે. 


મોદીની લીલીઝંડી! અમદાવાદ, અમરેલી અને મહેસાણાની થશે કાયાપલટ, 3 મસમોટા પ્રોજેક્ટ મંજૂર


આ ઉપરાંત નડિયાદ રેલવે સ્ટેશનની બંને બાજુ વિભાજીત પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતો રૂ.૮૦ કરોડના ખર્ચે  રેલવે ઓવરબ્રિજ પણ બનશે. નડિયાદના નગરજનો અને મુસાફર  જનતાની સુવિધાને પ્રાથમિકતા અપાશે. નડિયાદનું રેલ્વે સ્ટેશન  શહેર અને ખેડા જિલ્લાની શોભા બની રહે તેવી સાંસ્કૃતિક વિરાસતની વિવિધ થીમ પણ  બાંધકામમાં આવરી લેવાશે.