અમિત રાજપૂત, અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રા અંગે મોટા સમાચાર આવી રહ્યાં છે. આવનારી 20મી મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાવવાની છે. રથયાત્રા તો નીકળશે જ પરંતુ રથમાં માત્ર મંદિરના મહારાજ અને પૂજારીઓ જ હાજર રહેશે. નગરજનોને ટીવી ચેનલોના માધ્યમથી રથયાત્રા નીહાળવા માટેની માનસિક તૈયારીઓ રાખવા જણાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું રાજ્યમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે સોશિયલ ડિસ્ટન્સિંગ પર ખુબ ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલ તો જો કે લોકડાઉન ચાલુ છે. ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ હાલ રાજ્યમાં કોરોનાના 8195 કેસ નોંધાયા છે. જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 2545 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube