નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર શહેરનાં મેયરના વોર્ડમાં રોડ રસ્તાનાં કામ છેલ્લા ત્રણ મહિનાથી લટકી રહ્યા છે. રોડ બનાવવા સમગ્ર વિસ્તારમાં ખોદકામ કરી દેવાયું. પણ ત્રણ મહિનાથી રોડ ન બનતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દ્રશ્યો છે ભાવનગર શહેરની હદમાં આવતા નારી ગામનાં. શહેરનાં ચિત્રા-ફૂલસર વોર્ડમાં આવતા આ વિસ્તારમાં કોર્પોરેશને રોડ બનાવવાની કામગીરી શરૂ તો કરી, પણ તંત્ર અધવચ્ચે જ પોતાનું કામ કદાચ ભૂલી ગયું છે.


ગામની અંદર રસ્તા બનાવવા દિવાળીનાં બે મહિના પહેલા જૂના રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હતું. તંત્રએ લોકોને ખાતરી આપી હતી કે રસ્તાનું કામ દિવાળી પહેલા જ પૂરું કરી દેવાશે, જો કે કામ પૂરા કરવાની જગ્યાએ અધૂરા મૂકી દેવાયા. તેનું પરિણામ તમારી સામે છે. છેલ્લા ત્રણ મહિનાતી લોકો કાચા અને પથરાળ રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર છે. વાહન ચલાવવા તો દૂર, આ રસ્તા ચાલવા માટે પણ જોખમી બન્યા છે. રસ્તાની બંને તરફ માટી અને કપચીનાં ઢગલા લાગેલા છે.


આ પણ વાંચોઃ ભાજપને હરાવવા કોંગ્રેસે આપ સાથે ગઠબંધનની તૈયારી દર્શાવી, રાધનપુરમાં બોલ્યા ભરતસિંહ


તંત્રની બેદરકારી કહો કે કોન્ટ્રાકટરની મરજી લાભ પાંચમ પછી પણ રસ્તાનું કામ હજુ ચાલુ નથી કરાયું. નવાઈની વાત તો એ છે કે ચિત્રા ફુલસર અને નારી વોર્ડના ચાર કોર્પોરેટરમાંથી એક તો ખુદ ભાવનગર શહેરનાં મેયર છે. ચારમાંથી ત્રણ કોર્પોરેટર શાસક પક્ષ ભાજપનાં છે, છતા સ્થાનિકો સાથે સત્તાપક્ષ જાણે ઓરમાયું વર્તન રાખે છે. કોંગ્રેસનાં કોર્પોરેટર કાંતિ ગોહિલનું માનીએ તો અનેક વખત રજૂઆત છતા સત્તાધીશો તેમની વાત સાંભળતા નથી. 


રોડનાં અધૂરા કામ બાબતે અમે જ્યારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ કર્યો તો તેમણે દિવાળીના સમયનો હવાલો આપ્યો. કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એવો પણ તેમણે દાવો કર્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube