સંદીપ વસાવા/ઓલપાડ: સુરતના ઓલપાડ જૂથ અથડામણ મામલો હવે થાળે પડ્યો છે. ગત રાત્રી (ગુરુવાર)ના રોજ ઓલપાડ ટાઉનમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બે જૂથનું ટોળું આમને સામને આવી ગયું હતું અને પત્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યું હતું. સમગ્ર મામલો મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ સમાજની સગીરાને ભગાડીને લઈ બિચક્યો હતો. જેના કારણે ઓલપાડમાં તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષની દિવ્યાંગ બાળકીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો, માતાએ પટકતાં પાંસળીઓ તૂટી ગઈ


સમગ્ર ઘટનાને લઈ જિલ્લા ભરનો પોલીસ કાફલો ઓલપાડ ખાતે ખડકી દેવાયો હતો, ત્યારે હાલ ઓલપાડ ટાઉનમાં શાંતમય માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આખી રાત પેટ્રોલીંગ કોમ્બિંગ હાથ ધર્યું હતું. અસામાજિક તત્વ દ્વારા સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી હતી. જેને પગલે વિસ્તારની શાંતિ ભંગ થઈ હતી ત્યારે પોલીસે અફવા ન ફેલાવવા માટે આપીલ કરી હતી.


ગુજરાતમાં ઈ-ટોયલેટનો પ્રોજેક્ટ હજી અધૂરો, 5 વર્ષ પછી પણ જાહેરાત માત્ર કાગળ પર!


અફવા ફેલાવનાર સામે પાસા, તડીપારની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી. હાલ ઓલપાડ વિસ્તારમાં શાંતિભર્યો માહોલ છે. રાત્રી દરમ્યાન ઓલપાડ ટાઉન પોલિસ છાવણીમાં ફેરવાયું હતું. હાલ ઓલપાડ ટાઉનમાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે અને ઓલપાડ ટાઉન રાબેતા મુજબ ફરી ધમધમતું થયું છે. 


મેચ દરમિયાન આ હરકત બાદ ટ્રોલ થયો અર્જુન તેંડુલકર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ