અમિત રાજપૂત/અમદાવાદ :જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ફેમસ શામળાજી મંદિરમાં મહાપૂજાની 100 વર્ષ જૂની પરંપરા તૂટી


રથયાત્રાનો પહેલા પડાવ એટલે જળયાત્રાનું સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે. દર વર્ષની જેમ જ આ વર્ષ એ પણ સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન આયોજિત કરવામાં આવ્યું છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવાય છે. 


રથયાત્રાની મંગળા આરતીમાં હાજરી આપવા ગુજરાત પધારશે ગૃહમંત્રી અમિત શાહ


જળયાત્રા માં શું હશે ખાસ 


  • જળયાત્રામાં સામેલ થનારા ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટે ચંદરવા જગન્નાથ પુરીના કારીગરોએ કર્યો તૈયાર

  • કારીગરો ચંદરવો બનાવવા રંગીન દોરા તેમજ ઊનનો પણ ઉપયોગ કરાય છે

  • જે કળશમાં જળ લાવવામાં આવશે તેને પણ કારીગરો દ્વારા સુશોભિત કરવામાં આવે છે. તાંબા અને પિત્તળના કળશની સફાઇ કરીને સ્વચ્છ કરાય છે અને ગજરાજ પર વિશાળ કળશ મૂકીને પવિત્ર જળ લાવવામાં આવે છે.

  • જળયાત્રામાં પણ ગજરાજની ઉપસ્થિતિનું અનેરું મહત્વ છે. ગજરાજોને શણગારવામાં આવે છે.

  • જળયાત્રામાં ફરીથી આ વર્ષે શણગારેલા બળદગાડા, હાથી, પાલખી અને ભજન મંડળીઓ પણ જોડાશે

  • જળાભિષેક બાદ ગજવેશમાં પ્રભુનાં દર્શન આપશે


પ્રવાસીઓ માટે બંધ થયા ગીર જંગલના દરવાજા, 4 મહિના નહિ થઈ શકે વનરાજના દર્શન


જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. ભગવાનનાં ગજવેશ સાથે જોડાયેલી માન્યતાની વાત કરીએ તો, જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થતા તેને લાગ્યું કે, આ ભગવાન નાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. ત્યારબાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપૂરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.