રક્ષિત પંડ્યા/ રાજકોટઃ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ તડ-જોડનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. આયારામ-ગયારામની આવી જ ચર્ચાઓમાં જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાય એવી વાતો જોરશોરથી થતી હતી. જોકે, તેમણે તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા જણાવ્યું છે કે, તેઓ કોંગ્રેસની વિચારધારાને વરેલા છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે કોંગ્રેસના બે ધારાસભ્ય જવાહર ચાવડા(માણાવદર) અને પરસોત્તમ સાપરિયા (ધ્રાંગધ્રા)એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જેમાંથી જવાહર ચાવડા તો બપોરે જ ભાજપમાં જોડાઈ ગયા હતા અને શનિવારે તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા છે. જવાહર ચાવડાની સાથે-સાથે ભાજપના યોગેશ પટેલ અને ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. 


કોંગ્રેસમાંથી BJPમાં આવેલા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રીપદના લીધા શપથ, 3 નવા મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ


સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સારા પરિણામ બાદ લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની નજર કોંગ્રેસના ધારાસભ્યો પર જોવા મળી રહી છે.  જવાહર ચાવડા ઉપરાંત પણ કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમા હોવાની વાતો ચાલી રહી છે. જેમાંથી એક નામ જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનું છે. છેલ્લા થોડા સમયથી ભાજપ ચિરાગ કાલરીયાના સંપર્કમાં હોવાની ચર્ચા છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...