Jamnagar News મુસ્તાક દલ/જામનગર : જામનગરમાંથી સગીરનું અપહરણ બાદ તેની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી ગઈ છે. મોહનનગર આવાસમાંથી સગીરનું અપહરણ કરાયું હતું. જેના બાદ ઠેબા નજીક બે ભાઈના ડુંગર પાસેથી સગીરનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી જામનગરના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સમગ્ર કેસમાં મૃતકના બે મિત્રો શંકાના દાયરામાં છે. હાલ સગીરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે. તેમજ અપહરણ સમયના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે, જેના આધારે તપાસ શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે મિત્રોની સંડોવણી હોવાની શક્યતા 
મળતી વિગતો અનુસાર જામનગર શહેરના મોહનનગર આવાસમાં રહેતો એક સગીર શાળાએ જવા માટે નીકળ્યો હતો. ત્યાર બાદમાં સોસાયટીના ગેટ પાસે જ સગીરના બે મિત્રોએ તેનું અપહરણ કરી અને ફરાર થઈ ગયા હતા. સગીરના માતા પિતાએ શાળાએ તપાસ કરતા સગીર શાળાએ આવ્યો ન હોવાનો ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ માતા-પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.


પન્નુંને પતાવી દો તમારો ગુજરાતનો કેસ બંધ થઈ જશે? ગુજરાતના કયા DCP સાથે થવાની હતી બેઠ


સીસીટીવીમાં સગીર સાથે તેના બે મિત્રો દેખાયા 
સગીરના બે મિત્રો તેને જામનગરના ઠેબા ગામ નજીક બે ભાઈના ડુંગર પાસે લઈ ગયા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. ત્યારે સગીરની હત્યા કરી લાશ સળગાવી નાખી હોવાનું સગીરના માતા પિતાએ જણાવ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી અને હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે કયા કારણોસર સગીરની હત્યા કરાય તેનું કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. અપહરણ કરનાર મિત્ર સીસીટીવીમાં કેદ થયો છે અને અને પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. 


જામનગરમાં અન્ય યુવકનો આપઘાત
અન્ય એક કિસ્સામાં જામનગરના જામનગરના વિજરખી ડેમમાં એક યુવકે મોતની છલાંગ લગાવી છે. યુવકે અંગત કારણોસર ગઈકાલે યુવકે ડેમમાં છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યુ હતું. ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ શોધ્યો હતો. આત્મહત્યા પહેલાં યુવકે બનાવેલો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ ઝુલેખા મસ્જિદ પાસે રેહતો અબ્દુલકાદિર આરબ નામના યુવાને અગંત કારણોસર વિજરખી ડેમમાં કૂદી જીવનનો અંત આણ્યો. 


ગુજરાતમાં નીખિલ ગુપ્તા સામે પોલીસ રેકોર્ડમાં એક પણ નથી કેસ, તમામ DCPએ હાથ ખંખેર્યા