MorbI Bridge Collapse Update: મોરબી ઝૂલતા પુલ દુર્ધટના એક મોટા સમાચાર છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે આગોતરા જામીન માટે મોરબીની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (પટેલ)એ આગોતરા જામીન માટે અરજી કરી પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. આવતીકાલે જયસુખ પટેલેની આગોતરા જામીનની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ધટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ચારેબાજુ આ ઘટનાના પડઘા પડ્યા બાદ ઓરેવાનાં માલિક જયસુખ પટેલનું નામ એફઆઈઆરમાં નામ એડ થયું છે. દુર્ઘટના બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ઓરેવાનાં મેનેજર સહિત 9 લોકોના નામ હતા. હવે જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યા 10 આરોપીઓ થયા છે.


ગુજરાતની જેમ UP પણ વિશ્વફલક પર ઝળહળશે! ગુજરાતના આ જાણીતા ઉદ્યોગપતિઓ કરશે કાયાપલટ


ઝૂલતા પુલનો શું છે ઇતિહાસ?
ઝૂલતા પુલના ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઈ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.


અ'વાદમાં કોર્પોરેટરને લોકોએ કારમાંથી ઉતારીને ચખાડ્યો મેથીપાક, હોસ્પિટલમાં કરાયા દાખલ


જાણો શું બની હતી ઘટના?
30મી ઓક્ટોબર, 2022ના દિવસે મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમાંથી 47 તો માત્ર બાળકો હતા!