Gandhinagar News : કોંગ્રેસના યુવા નેતા હવે ગુજરાત સરકારને ચારેતરથી ઘેરી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી સરકાર સામે સતત મોરચો માંડી રહ્યા છે. ત્યારે મેવાણીએ ગીર સોમનાથમાં રાજકીય કિન્નાખોરી રાખી ડિમોલિશનના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસને મત આપનારા મતદાતાઓને ટાર્ગેટ કરાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું કે, ગીર સોમનાથમાં આહિર, દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમના હોટેલો, મકાનો, પાનના ગલ્લાઓ તોડવામાં આવી રહ્યાં છે. કોંગ્રસને મત આપનાર મતદાતાઓને ટાર્ગેટ કરાય છે. કોડીનારથી ઉના જતા રોડ પર પૂર્વ સાંસદના ઝીંગા ફાર્મ ગેરકાયદે ચાલે છે. દિનુ બોઘા સોલંકીના ઘણા બધા બાંધકામો છે, હિંમત હોય તો સરકાર તોડી પાડે. વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર મહેશ મકવાણાની ખોટી રીતે ધરપકડ કરાઈ છે. મકવાણાની અરજી બાદ ભાજપ નેતાની ઑફિસનો ઓટલો તોડવા ટીમ ગઈ હતી. 


અંબાણી ખાનદાનના ચિરાગ પૃથ્વીએ લગ્નના અંતે એવું કર્યું કે આખી મહેફિલ લૂંટી ગયો!


તો બીજી તરફ, ગઈકાલે રાજકોટમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. આજી ડેમ રવિવારી બજારના પથરણાં ધારકોને ખાલી કરવા નોટિસ આપતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત રાજકોટ શહેર કોંગ્રેસ કોર્પોરેશનનો ઘેરાવ કરી કમિશશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું. ત્રિકોણ બાગથી RMC સેન્ટ્રલ ઝોન સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી રાજકોટના આજીડેમ વિસ્તારમાં રવિવારી બજાર ભરાય છે. રવિવારી બજારના પાથરણાં ધારકોને કલેકટરે લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારી હતી. હવે RMC દ્વારા જગ્યા ખાલી કરી દેવા નોટિસ ફટકારી ફટકારાઈ છે. રવિવારી બજાર સિંચાઇ વિભાગની સરકારી જમીન પર ભરાતી હોવાથી જિલ્લા કલેકટરે લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોટિસ ફટકારી છે. 


જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં