અશોક બારોટ/જૂનાગઢ: જિલ્લાના ભેંસાણ ગામે સસરાએ વહુને ગળોટુંપો આપી કરપીણ હત્યા કરી નાંખી છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે, પોલીસે સસરાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનના અંતમાં વરસાદ તૂટી પડશે તેવું કહેનારા અંબાલાલની ઘાતક આગાહી, જાણો જુલાઈ-ઓગસ્ટમાં


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢના ભેંસાણ તાલુકાના ચનાકા ગામે સસરા શંભુ ભાઈને પુત્રવધૂ રસીલા બેન બીજાના ખેતરમાં કામ કરવા જાય તે ન ગમતું હોવાથી ગળોટુંપો આપી હત્યા નીપજાવી હતી. રસીલાબેનને બે પુત્રો છે. જેમાંથી સુરત રહેતા પુત્રએ ફોન કરતાં માતાએ ફોન ઉપાડયો નહોતો, ત્યારે શંકા જતા મામાંને જણાવ્યું હતું. મામાએ તરત જ બહેનના ઘરે જઈ તપાસ કરતાં રૂમનું બારણું બંધ હતું. 


સાડા 6 કરોડ ગુજરાતીઓ માટે આનંદના સમાચાર, ગુજરાતમાં આજથી વિધિવત્ ચોમાસું બેઠું


રસીલા બેનના ભાઈ રમેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આવી બારણું તોડી જોતા રસીલાબેનને ગળેટુંપો દીધેલ હતો અને ચુંદડી ગળે બાંધેલ હતી, જયારે બીજો છેડો પંખા સાથે બાંધેલ હતો. ભાઈને શંકા જતા પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરતા સસરાની પૂછપરછ કરતા શંભુ ભાઈ પડી ભાંગ્યા હતા. શંભુ ભાઈએ કબૂલ્યું હતું કે રસિલાની હત્યા તેમને જ કરી છે. 


જીવના જોખમે સ્ટંટ કરતા અમદાવાદી નબીરાનો VIDEO વાયરલ, મોપેડ પર કર્યા ભયંકર સ્ટંટ


મૃતકના ભાઇ એ હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરવા જામનગર મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું કે માથાના ભાગે બોથડ પદાર્થ અને ગળેટુંપો આપી હત્યા કરી છે. આથી પોલીસે શંભુ ભાઈની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 


પાલનપુરમાં 50 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર તોડી રસ્તો બનાવી દેતા લોકોમાં રોષ