ઝી બ્યુરો/ગાંધીનગર: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને ગુજરાતના  દાહોદ તેમજ અન્ય જિલ્લાઓમાં પવન સાથે છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે તેમ, છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતો અને એ.પી એમ.સીના વેપારીઓ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખળભળાટ! પેપર લીક કેસમાં આજીવન કેદ અને 10 કરોડનો દંડ, આ રાજ્યે બનાવ્યો કડક કાયદો


જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરી પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી જોઈએ અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ.ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલડે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જણાવાયું છે.


રાજકોટમાં ભાજપ ધારાસભ્યને આવ્યો હાર્ટઍટેક: લગ્ન પ્રસંગમાં અચાનક તબિયત બગડી


આ ઉપરાંત એ.પી એમ સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી. એમ.સીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.


આવતીકાલથી બદલાઈ જશે સિમ ખરીદવાના નિયમો, હવે પહેલા કરતા વધુ વેરિફિકેશન થશે


આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી. નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા વધુમાં જણાવાયું છે.