જુનાગઢ :જુનાગઢના ભેંસાણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભેંસાણ માર્કેટ યાર્ડમાં રાત્રિના સમયે કોઈ હલકી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવામાં આવી છે. એક જાગૃત ખેડૂત દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારે માર્કેટ યાર્ડમાં નબળી ગુણવત્તાવાળી મગફળી કોણે ઘૂસાડી તેની તપાસ શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢની જેમ જ ભેંસાણમાં પણ મોટું કોભાંડ સામે આવે તેવી શક્યતા છે. આ મામલે કૃષિ અધિકારીને ખુલાસો કરવો પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભા ચૂંટણીમાં એસ જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી અરજીને હાઈકોર્ટ ફગાવી


ઉલ્લેખનીય છે કે, ભેસાણ મગફળી કોભાંડ મામલામાં ભેસાણ માર્કેટયાર્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં શંકાસ્પદ જથ્થાની હેરફેર કેમેરામાં દેખાઈ રહી છે. પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ જથ્થો ભરાઈ રહ્યો હોવાના આક્ષેપ કરાયો છે. ગત રાત્રીના પોલીસ અને મામલતદાર શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. આ પ્રકારના અગાઉ અનેક વાહનો ઘૂસ્યા હોવાનો આક્ષેપ છે. 


આવી રીતે માઈક્રોવેવમાં બનાવો ઢોકળા, 10 મિનીટ પણ નહિ લાગે...