Loksabha Election 2024: પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ગુજરાતના ક્ષત્રિયો ભાજપથી નારાજ છે. એવા નારાજ કે તેમણે ખુલ્લીને ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો છે. રાજકોટથી રૂપાલા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્ષત્રિયોની સંકલન સમિતિ રોજ નવી નવી રણનીતિઓ બનાવી આંદોલનને જીવતું રાખવાના પ્રયાસમાં લાગેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 વર્ષમાં ના જોઈ હોય એવી મંદીના ભરડામાં આવ્યો ગુજરાતનો આ ઉદ્યોગ! કારીગરોની માઠી દશા


બીજી તરફ જેમ જેમ મતદાન નજીક આવતું જાય છે તેમ તેમ ભાજપે પણ ડેમેજ કંટ્રોલની કવાયત તેજ કરી દીધી છે. ભાજપમાંથી કમાન ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાથમાં ઉપાડી છે. સંઘવી રાજ્યના અલગ અલગ બેઠક પર જઈને ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી રહ્યા છે. જ્યાં સંઘવીએ બનાસકાંઠા પહોંચી બંધબારણે બેઠક યોજી સમજાવટનો પ્રયાસ કર્યો હતો...ત્યારપછી કચ્છ, ભાવનગરમાં પણ બંધબારણે ક્ષત્રિયોને સમજાવાયા હતા.


એપ્રિલના અંત અને મે મહિનામા કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? અંબાલાલની આ આગાહીથી ફફડાટ


ડેમેજકંટ્રોલ માટે હર્ષ સંઘવીની સાથે સંગઠન મહામંત્રી રત્નાકર પણ લાગેલા છે. તમામ બેઠકો ગુપ્ત યોજાઈ રહી છે, તેની અસર કેટલી થાય છે તે તો પરિણામ પછી જ ખબર પડશે. પરંતુ ક્ષત્રિયોની રણનીતિ પછી ભાજપ પણ પોતાની અલગ રણનીતિ પર કામ કરતું હાલ જોવા મળી રહ્યું છે. ક્ષત્રિયોના આંદોલનની અસર રાજકોટની સાથે જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર પર થાય તેવા એંધાણ છે. કારણ કે આ ત્રણેય બેઠક પર ક્ષત્રિય સમાજના મત સારા એવા પ્રમાણમાં છે. જો કે અન્ય સમાજના મત વન સાઈડ પડે તો ભાજપની સારી લીડથી જીત થઈ શકે છે. તેથી ભાજપ હાલ તમામ નાની નાની બાબતોનું મંથન કરીને આગળ વધી રહ્યું છે. તો જેના કારણે સમગ્ર વિવાદ થયો છે તે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પણ અવાર નવાર ક્ષત્રિય સમાજને અપીલ કરતાં જોવા મળી રહ્યા છે.


ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે...! નૌકાબેનના નિવેદન બાદ ગેનીબેનનો વળતો પ્રહાર 


તો રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં ભાજપના વધુ એક નેતાએ બફાટ કર્યો છે. તેમણે આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે. જો કે આ નેતાએ નિવેદન બાદ માફી પણ માગી લીધી છે. બફાટ કરતાં નેતાઓને એક જાગૃત મીડિયા તરીકે અમારે કહેવું છે કે, એવું નિવેદન શું કામ આપો છો કે પાછળથી માફી માંગવી પડે?...કેમ ચૂંટણી ટાણે જ તમારી જીભ લપસી જાય છે?. જનપ્રતિનિધિ કોઈને નીચા દેખાડી મોટો ન બની શકે. તે તમામ સમાજને સાથે લઈને ચાલનારો હોવો જોઈએ. આ મામલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પણ રોષ ઠાલવી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે કાર્યવાહીની માગ કરી છે. 


મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ કરી એવી ભવિષ્યવાણી કે સૌ ચકિત!


ક્ષત્રિય સમાજે હવે ખુલ્લીને ભાજપ સામે વિરોધ શરૂ કરી દીધો છે અને તમામ ઝોનમાંથી ધર્મ રથ કાઢવાની રણનીતિ બનાવી છે. આ ધર્મ રથ વિવિધ વિસ્તોરમાં ફરીને ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરશે. ધર્મરથ માટે ક્ષત્રિયોએ ખાસ રણનીતિ પણ બનાવી છે. સાથે જ ફરી એકવાર મહાસંમેલનોના પણ આયોજન કર્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિયોનો આ રોષ મતદાન પેટીમાં કેટલો અસર કરી શકે છે તે જોવાનું રહેશે.