Kutch News નિધિરેશ રાવલ/ગાંધીધામ : કચ્છના અંજારમા બજાર પાસે આવેલ મજૂરોના ૮ થી ૧૦ ઝૂંપડાને રફીક નામના શખ્સે આગ ચાંપી તેમા રહેતા મજુરોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો. જો કે મજુરો બહાર આવી ગયા હતા. જ્યારે સાત જેટલા બિલાડીના બચ્ચાં બળી ગયા હતા અને ઝુંપડા પણ ખાખ થઈ ગયા હતા. ત્યારે આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંજારમાં એક માથાભારે શખ્સની દાદાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભારની દાદાગીરીને વશ થવા મજૂરોએ ઇન્કાર કરતાં આરોપીએ મજૂરોના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનાર લોકોની ફરિયાદને આધારે અંજાર પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. 


લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો : સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું


ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ 
અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં રવિવારે સવારે આગ લાગતાં દસ જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા. સદભાગ્યે ઝૂંપડામાં રહેતા મજૂર પરિવારના 12 સદસ્યો બહાર નીકળી જતા તેમનો જીવ બચ્યો હતો. પરંતુ ઝુંપડામાં લાગેલી આગના કારણે તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ ઝુંપડા ઉપર રહેલી વીજ લાઈનને સ્પર્શતાં વીજ લાઈનમાં પણ ધડાકા થયા હતા. અંજાર ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.


આગ લાગવી અકસ્માત નહોતો ! 
જોકે આગ અકસ્માતે નહોતી લાગી પરંતુ ઈરાદાપૂર્વક આગ ચાંપી હોવાનો ખુલાસો થયો છે. હકીકતમાં અંજારના મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર મજૂરોને છૂટક મજૂરી કામ કરવા માટે ફરજ પાડતો હતો. કામ પૂર્ણ થયા બાદ મજૂરીના પૈસા પણ ઝુંટવી લેતો હતો. શનિવારે રાત્રે આરોપી મજૂરોને મજૂરી કરવા માટે કહેવા આવ્યો હતો. ત્યારે તમામ મજૂરોએ સંપ રાખીને રફીકને મજૂરી કરવા માટે ના પાડી હતી. જેના બદલામાં રફીકે મજૂરોને ઝૂંપડા સાથે જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.


આ વર્ષની ભયાનક મોટી આગાહી : ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ભીષણ ગરમી પડશે


 


વડોદરામાં જ્યોતિ પંડ્યા બાદ પણ આ નેતાએ ખોલ્યો મોરચો, રંજન ભટ્ટની મુશ્કેલીઓ વધશે