રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: ક્લાઇમેટ ચેન્જ (Climate change) પર આંતર સરકારી પેનલ (IPCC)ના નવા અહેવાલમાં ભારત (India) માટે ભયજનક ચેતવણીઓ છે, જે હવામાનની પેટર્ન અને પર્યાવરણીય પરિબળોમાં પહેલેથી જ અણધારી ઉથલપાથલમાંથી પસાર થઈ રહી છે. સૌથી ખતરનાક જોખમ પરિબળ સમુદ્રનું સ્તર વધી રહ્યું છે જેમાં સદીના અંત સુધીમાં દેશના 12 દરિયાકાંઠાના શહેરોને ડૂબી જવાનો ઉલેખ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમ આપણે જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ (Global Warming) ને કારણે સમગ્ર વિશ્વમાં તાપમાન સતત વધી રહ્યું છે અને તેના કારણે એન્ટાર્કટિકાની હિમનદીઓ પણ પીગળી રહી છે, જેના પાણી મેદાનો અને દરિયાઈ વિસ્તારોમાં વિનાશ લાવશે.

Surat: 580 રૂપિયામાં એક કિલો 'બચપન કા પ્યાર' અને 9 હજાર રૂપિયામાં વેચાઇ રહ્યું છે ગોલ્ડ!


નાસા (Nasa) એ આંતરસરકારી પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) ના અહેવાલને ટાંકીને સમુદ્રમાં ડૂબતા ઘણા શહેરોની ચેતવણીઓનું પુનરાવર્તન કર્યું છે. IPCC નો આ છઠ્ઠો આકારણી અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, જે આબોહવા વ્યવસ્થા અને આબોહવા પરિવર્તનની પરિસ્થિતિઓને વધુ સારી રીતે વ્યાખ્યાયિત કરે છે.


નાસા તરફથી વિશ્લેષણ આવ્યું છે જેણે IPCC રિપોર્ટનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં દરિયાની સપાટીમાં ફેરફારનું મૂલ્યાંકન કરવા માટે કર્યો છે. સ્પેસ એજન્સીએ એવા 12 ભારતીય શહેરોની ઓળખ કરી છે કે જે પરિસ્થિતિને કાબૂમાં ન રાખતા આબોહવા પરિવર્તન અને દરિયાનું વધતું સ્તરને કારણે પાણીમાં સમાય તેવી શક્યતા છે.

Raksha Bandhan: કોણ છે તે પાકિસ્તાની મહિલા, જે PM મોદીને 26 વર્ષથી બાંધે છે રાખડી


IPCC 1988 થી દર પાંચથી સાત વર્ષે પૃથ્વીની આબોહવાનું વૈશ્વિક ધોરણે મૂલ્યાંકન કરી રહ્યું છે, જે તાપમાન અને બરફના આવરણ, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને સમગ્ર ગ્રહમાં દરિયાના સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના સમુદ્ર-સ્તરના અંદાજો ઉપગ્રહો અને જમીન પરના સાધનો દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા, તેમજ વિશ્લેષણ અને કમ્પ્યુટર સિમ્યુલેશન પર આધારિત છે.


આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2100 સુધીમાં વિશ્વનું તાપમાન નોંધપાત્ર રીતે વધશે. ભવિષ્યમાં લોકોને સખત ગરમીનો સામનો કરવો પડશે. જો કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે તો તાપમાનમાં સરેરાશ 4.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી બે દાયકામાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

આટલી એજ્યુકેટેડ છે દેશના ધનકુબરોની પત્નીઓ, નીતા અંબાણીથી માંડીને ગૌતમ અદાણીની પત્ની


IPCC રિપોર્ટ સૂચવે છે કે એશિયાની આસપાસ દરિયાની સપાટી સરેરાશ વૈશ્વિક દર કરતા ઝડપી દરે વધી રહી છે. રિપોર્ટ સૂચવે છે કે દરિયાની સપાટીમાં ભારે ફેરફારો, જે અગાઉ 100 વર્ષમાં એક વખત જોવા મળતા હતા, 2050 સુધીમાં દર છથી નવ વર્ષમાં એક વખત આવી શકે છે.


અને અહેવાલ મુજબ, આગામી 80 વર્ષોમાં એટલે કે વર્ષ 2100 સુધીમાં, ભારતના 12 શહેરો દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે લગભગ 3 ફૂટ પાણીમાં જશે અને તેમાં ગુજરાતના 3 શહેરો ઓખા, ભાવનગર અને કચ્છ જિલ્લાના કંડલાનો સમાવેશ થાય છે.  


કચ્છ જિલ્લાના કંડલાની વાત કરવામાં આવે તો કંડલા દરિયાની નજીક આવેલું શહેર છે અને ભારતનું સૌથી મોટું બંદર છે અને અહીંથી આયાત નિકાસ દરિયાઈ માર્ગે સૌથી વધુ છે. નાસા અને આબોહવા પરિવર્તન પર આંતર સરકારી પેનલના અહેવાલ મુજબ, વર્ષ 2100 સુધીમાં કંડલામાં દરિયાનું સ્તર 1.87 ફૂટ વધી જશે.

Raksha Bandhan: ઇકબાલભાઇની રાખડીઓ જોઇને PM પણ થઇ ચૂક્યા છે આકર્ષિત


આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા સમુદ્રી વાણિજ્ય વિભાગના પ્રધાન અધિકારી કેપ્ટન સંતોષકુમાર દારોકરે જણાવ્યું હતું કે, IPCCનો જે રિપોર્ટ છે એને પૂરી રીતે સ્ટડી કરીને એના પર અમે ચોક્કસ રીતે અમારા મંતવ્યો આપશું. અહીં જે મેરિટાઈમ સેફ્ટી કમિટી તથા મરીન એનવાયરમેન્ટલ પોટેંશન કમિટી પાસે અમારા દ્વારા દર વર્ષે ડેલિગેશન જાતું હોય છે અને આના પર વાર્તાલાપ પણ થતું હોય છે તથા ભારત સરકાર દ્વારા પણ સ્ટડીને લગતા જરૂરી કાગળો જમાં કરાવવામાં આવે છે. ઉપરાંત હાલમાં કલાયમેન્ટ ચેન્જ પર સ્ટડી ચાલુ જ છે અને સ્ટડી કર્યા બાદ કોઈ આઉટપુટ નીકળશે તો અમે તમામને જાણ કરીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube