ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં ગોમતીપુર પોલીસ મથકમાં લવજેહાદની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગોમતીપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી લીધી છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવનાર વિધર્મી યુવકની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેનો પૈકી એક બહેન  લવ જેહાદનો ભોગ બની હોવાની વિગતો સામે આવી છે. ઇકબાલ અન્સારી નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થતા પોલીસે ઇકબાલ અન્સારી નામના યુવકની અટકાયત કરી લીધી છે. આરોપી ઈકબાલ મૂળ યુપીનો રહેવાસી છે અને સાત વર્ષ પહેલા અમદાવાદના ગોમતીપુરમાં સિલાઈ મશીનનું કામ કરતો હતો.


આ પણ વાંચોઃ GREની પરીક્ષામાં સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, અત્યાર સુધી 500 લોકો પહોંચી ગયા વિદેશ!


સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભોગ બનનાર યુવતી ૨૦૧૫-૧૬ માં કમ્પ્યુટર ક્લાસમાં  આરોપી ઈકબાલ અંસારીના સંપર્કમાં આવી હતી. આરોપી ઈકબાલ અન્સારીએ આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ મુંબઈ લઈ જઈને યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ યુવતીને ખબર ન પડે તે માટે  મરાઠી ભાષામાં ધર્મ પરિવર્તનનું સોગંદનામું લખાવી યુવતીની સહી કરાવી દીધી હતી. લગ્ન બાદ આરોપીએ યુવતીને યુપીના પ્રતાપગઢમાં આવેલ તેના ઘરે લઈ જઈને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરતો હતો તેટલું જ નહીં યુવતી મુસ્લિમ ધર્મ સ્વીકારવાની ના પાડતા શારીરિક માનસિક ત્રાસ આપી બર્બરતા આચરી હતી. આરોપીએ યુવતીને હદ તો ત્યાં વટાવી નાખી કે યુવતી તેના ચુંગાલમાંથી ન જતી રહે તે માટેથી  સાત વર્ષ સુધી યુપીના પ્રતાપગઢમાં આવેલા પોતાના ઘરે બંધકની જેમ રાખી હતી. આરોપીના ચૂંગાલમાંથી યુવતીએ પોતાના ચશ્માં બનાવવાનું બહાનું કાઢી યુપીથી અમદાવાદ આવી ગઈ હતી.


પોલીસે ભોગ બનનાર યુવતીની પૂછપરછ કરતા તેને સંતાનમાં બે બાળકો છે. ત્યારે બીજી બહેન મામલે પોલીસ તપાસ કરી રહી છે કે શું યુવતીની નાની બહેન પણ લવ જેહાદનો ભોગ બની છે કે કેમ તે અંગે તપાસ અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરુ કરી છે. જોકે હાલ તો પોલીસે ઇકબાલ અંસારીની અટકાયત કરીને ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube