ઝી બ્યુરો/અમદાવાદ: સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ હજું થાળે પડ્યો નથી, ત્યાં બીજો વિવાદ ઉભો થયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે અમદાવાદમાં રહેતા અશોક વાઘેલાએ દેવી દેવતાઓના અપમાનને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે. આ બન્ને લોકકલાકાર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. જેમાં માયાભાઈ આહિરે ભગવાન શિવ અને દ્વારકાધીશનું અપમાન કર્યું અને કીર્તિદાન ગઢવી જાહેરમાં હસી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કરશે રેલમછેલ? જાણો ક્યાથી કઇ તારીખ સુધી મેઘો થશે મહેરબાન


ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને અરજી થતાં ફરી એક નવો વિવાદ ઉભો થાય તો નવાઈ નહીં. અશોક વાઘેલાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે મોબાઈલમાં ફેસબુક પર અપના અડ્ડા નામના ગ્રુપમાં રિલ્સ જોતાં જોતા તેમાં લોકકલાકાર માયાભાઈ આહીર દ્વારા હિન્દુ ધર્મના દેવીદેવતાઓનું હળહળતું અપમાન જોવા મળ્યું હતું.


બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી ભૂલ્યા ભાન! ખોડિયાર માં પર વિવાદિત નિવેદન, વિવાદ વકર્યો


માયાભાઈ આહીર મંચ પરથી ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી જાહેરમાં જોક્સ સંભળાવતા હતા, ત્યારે બાજુમાં બેઠેલા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પોતે પણ જાહેરમાં ખડખડાટ હસી રહ્યા છે અને માયાભાઈ આહીર દ્વારા જાહેર સ્ટેજ ઉપર ભગવાન શિવનું હળહળતું અપમાન કરાતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.


અંબાજી: યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરી દેવાયા, 20 કિ.મી એરિયામાં દુર્ઘટના બને તો


અશોક વાઘેલાએ આ બંને કલાકારો સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાની કલમો હેઠળ અરજી કરી છે. હવે જોવાનું એ છે કે પોલીસ આ અરજીને લઈને ફરિયાદ નોંધે છે કે નહીં. 


ગુજરાતી પરણેલા પુરુષો વારંવાર કેમ જાય છે થાઈલેન્ડ, પત્ની જાણશે તો ક્યારેય નહીં મોકલે