મહેસાણા : ખેરાલુ પાલનપુર રોડ પર આવેલા વાલાપુરા ગામ નજીક ઇકો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કમકમાટીભર્યા મોત નિપજતા શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ચાણસોલ ગામના બે યુવાનો પ્રતિક પ્રજાપતિ અને નિકુંજ સથવારા બંન્ને યુવકો ગેસનો બાટલો લેવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન ખેરાલુ પાલનપુર માર્ગ પર બેફામ આવી રહેલા ઇકો ચાલકે બાઇકને ટક્કર મારી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂનમબેન માડમના અથાગ પ્રયાસથી જામનગરવાસીઓને મળશે થશે આ ફયાદો


અકસ્માત અંગે જાણ થતા મોટા પ્રમાણમાં લોકો આસપાસથી દોડી આવ્યા હતા. તત્કાલ સ્થાનિક પોલીસ અને 108 ને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં પ્રતિક પ્રજાપતિનું તત્કાલ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના મિત્ર નિકુંજ સથવારાને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાંથી વિસ્તૃત સારવાર માટે વિસનગરની નુતક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં સારવાર દરમિયાન નિકુંજ મિસ્ત્રીનું પણ મોત નિપજ્યું હતું. 


જે હોદાને મેળવવા IIT વિદ્યાર્થીઓના ચપલ પણ ઘસાઈ જાય છે, તેને ગુજરાતના કરણે ચપટી વગાડતા મેળવ્યો


ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને મિત્રોના સાથે મોત નિપજતા પરિવારમાં પણ શોક પ્રસર્યો છે. બંન્ને મિત્રો અભ્યાસથી માંડીને તમામ સ્થળે સાથે જ જતા હતા. બંન્ને મિત્રો ITI કરતા હોવાથી ત્યાં પણ સાથે જ જતા હતા. હવે બંન્નેએ એક સાથે જ મોત નિપજતા બંન્ને પરિવારોમાં શોકની લાગણી પ્રસરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube