Survey Conducted For All Madrasa : ગુજરાતમાં મદરેસાઓમાં તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં દરિયાપુરમાં સરવે કરવા ગયેલી મદરેસાઓમાં તપાસ કરવા ગયેલી ટીમ પર હુમલો કરાયો હતો. મદરેસામાં તપાસની કામગીરીમાં આચાર્ય પર ટોળાએ હુમલો કરીને માર માર્યો હતો. ત્યારે આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મદરેસાઓમાં બિન મુસ્લિમ બાળકો ભણતા હોવાનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ બાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં દોડધામ વધી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ કરતા મદરેસાઓમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદ જિલ્લા અને શહેર શિક્ષણાધિકારી ઉપરાંત સ્કૂલ બોર્ડના કર્મચારીઓની ટીમ બની હતી. શહેરમાં 150 થી વધુ શાળા મદરેસાઓમાં જુદી જુદી ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ છે. કેટલીક જગ્યાએ સર્વે પૂરો, કેટલાક સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે. 


IPL વચ્ચે મોટી ખબર : વિરાટ અને અનુષ્કા સંતાનોના ઉછેર માટે લઈ શકે છે મોટો નિર્ણય


ત્યારે શિક્ષણ વિભાગના આદેશ બાદ અમદાવાદની મદરેસાઓમાં સરવે કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શિક્ષણ વિભાગના આદેશથી આજથી મદરેસામાં અભ્યાસ કરવા જતાં બાળકોનો સરવે શરૂ કરાયો હતો. અમદાવાદના દરિયાપુરના સુલતાન મહોલ્લામાં આવેલી મદરેસાઓનો સરવે કરવા ટીમ પહોંચી હતી. મદરેસા બંધ હોવાથી શિક્ષક સંદીપ પટેલ પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા. ત્યારે મદરેસાનો ફોટો પાડી રહેલા શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય પર ટોળા દ્વારા હુમલો કરાયો. આ બાદ શિક્ષક અને જિલ્લા શિક્ષણ અધિકારી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદની કામગીરી શરૂ કરી હતી. 


ક્યારેક હતો ચોકલેટી હીરો, આજે બની ગયો વિલન, જરા ઓળખી બતાવો તો આને?


ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર