અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે મંગળવારે દાવો કર્યો છે કે, ગુજરાતમાં 15થી 20 જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં જ કોંગ્રેસ છોડવાના છે. સાથે જ અલ્પેશે દાવો કર્યો કે, કોંગ્રેસમાં અત્યારે નેતૃત્વનો અભાવ છે અને જો
તેમાં આવું જ ચાલતું રહ્યું તે હજુ આગામી 10 વર્ષ સુધી તે સત્તામાં આવી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "એ અમારો નિર્ણય હતો અને મારા અંતરાત્માનો અવાજ હતો કે હવે અમારે પાર્ટીમાં રહેવું જોઈએ નહીં. અમે લોકો માટે કામ કરવા માગીએ છીએ અને સરકારની મદદથી ગરીબોની મદદ કરવા
માગીએ છીએ. થોભો અને રાહ જૂઓ, હજુ કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવાના છે. તેઓ પાર્ટીમાં અત્યંત નિરાશા અનુભવી રહ્યા છે. પાર્ટીના અડધાથી વધુ ધારાસભ્યો હાલ મુંઝવણ અનુભવી રહ્યા છે."


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "ગુજરાતમાં બધા જ લોકો વડાપ્રધાન મોદીનું સન્માન કરે છે અને હું પોતે તેમના લાગણીશીલ સ્વભાવથી પ્રેરિત છું."  અલ્પેશે રાહુલ ગાંધી અંગે જણાવ્યું કે, તેમની સાથે પણ મારા સારા સંબંધો
છે, પરંતુ નેતૃત્વની વાત આવે ત્યારે તે વડાપ્રધાન મોદીની સામે ટકી શકે એમ નથી. આ માટે તેમને મારા પ્રમાણપત્રની જરૂર નથી. 


ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ભાજપના 4 ધારાસભ્યોએ લીધા શપથ


ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને તેમની ઓફિસમાં મળ્યા હતા. ઠાકોરની સાથે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હતા. તેમની આ મુલાકાત પછી એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે, અલ્પેશ ટૂંક સમયમાં જ
ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. 


કોંગ્રેસમાં ઘમાસાણઃ રાહુલને રાજી કરવાથી માંડીને ગાંધી પરિવાર સિવાયના અધ્યક્ષના નામ અંગે મંથન 


જોકે, અલ્પેશે ભાર મુકીને જણાવ્યું કે, ભાજપમાં જોડાવાનું હાલ તેનું કોઈ આયોજન નથી. ભાજપના અનેક નેતાઓ તેના સંપર્કમાં છે. હું મારા મતવિસ્તાર માટે કામ કરવા માગું છું.


જૂઓ LIVE TV...


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...