અમદાવાદઃ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સરદાર નગર પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા અને દીકરીની ધરપકડ કરી છે. સરદાર નગરમાં રહેતો કિશોર જાદવ દરરોજ પત્ની અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો. રવિવારના રોજ પણ પતિ કિશોરએ પત્નીને માર મારી અને દીકરીને વાળ પકડીને માર માર્યો હતો. જેથી ઉશેકરાયેલી માતા-દીકરીએ મૃતક કિશોરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું. મૃતક કિશોર જ્યારે સુઈ રહ્યો હતો ત્યારે પત્ની ગીતાબેન દુપટ્ટાથી કિશોરનું ગળું દબાવ્યું હતું. જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યું હતું. જે બાદ હત્યારી ગીતાબેન ભત્રીજા પરાગ જાદવને ફોન કરીને કહ્યું કે કિશોર ઉઠી રહ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરોએ મૃત જાહેર કર્યો
જ્યાં હોસ્પિટલમાં લઈ જતા હાજર ડોક્ટરે કિશોર ભાઈને મૃત જાહેર કર્યા હતા. પરતું ભત્રીજાને શંકા જતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદાર નગર પોલીસે ગુનો નોંધી માતા-દીકરીની ધરપકડ કરી છે. બેકાર પતિ કિશોરથી કંટાળીને પત્નીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે. પતિ કિશોર અને પત્ની ગીતાના લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો છે જેમાં બે દીકરીઓ સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જ્યારે બેકાર કિશોર દારૂ પીને પત્ની અને દીકરી પર શંકા રાખી અત્યારચાર કરતો હતો. 


આ પણ વાંચોઃ એક દિવસ હું વિમાન ઉડાવીશ મમ્મી, કાચા મકાનમાં રહેતી ઉર્વશી દુબે બની પાયલટ


કિશોરના મારના ડરથી ગીતા અને તેની દીકરીઓ દહેશતમાં જીવતી હતી. પરંતુ ડર માંથી બહાર આવા માટે ડરને મારી નાખવાનું નક્કી કર્યું અને રવિવારના રોજ પતિની હત્યા કરી અકસ્માતનું રૂપ આપ્યું. જેને લઈ પોલીસે માતા દીકરી ધરપકડ કરી વધુ તપાસ શરૂ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube