Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ફીવર જામ્યો છે. હવે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવીને જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કોંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ભરૂચ સીટ પર પ્રચારને લઈ એક મોટું નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'પાલનપુરમાં બે લોકોનો ત્રાસ', ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપતા ગુજરાતની રાજનીતિમા ગરમાવો


ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યુ જ નથી: મુમતાઝ પટેલ
મુમતાઝ પટેલે ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સામે નારાજગી વ્યક્ત કરતા એક નિવેદન આપ્યું હતું. મુમતાઝ પટેલે કહ્યું કે હું ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરું. ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યુ જ નથી. કદાચ ચૈતર વસાવાને મારી જરૂર નથી. 


આંધી-તોફાન, કડાકા ભડાકા સાથે વરસાદ...આગામી ત્રણ દિવસમાં જ અહીં કરવટ બદલશે મોસમ


એટલું જ નહીં, મુમતાઝ પટેલે ઉમેર્યું હતું કે ચૈતર વસાવાએ મને પ્રચાર માટે પણ બોલાવી નથી, અને હું ગઈ પણ નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હજું પણ મુમતાઝ ચૈતર વસાવાથી નારાજ છે અને છેલ્લે તો એમ પણ કહ્યું કે કોંગ્રેસને ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી. 


રિલાયન્સનો ગઢ જામનગરમાં છે હવે નવા સમીકરણો, પૂનમ માડમ હેટ્રીક ફટકારશે કે મુશ્કેલી...


કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ પર નિવેદન
મુમતાઝ પટેલે કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ પર નિવેદન આપતાં કહ્યું, ચૂંટણીના નિવેદનોમાં જોઈ વિચારીને નિવેદનો આપવા જોઈએ. મહાત્મા ગાંધી દુનિયાના નેતા છે અને રાહુલ ગાંધી દેશના નેતા છે. મહાત્મા ગાંધી તેમની જગ્યાએ અને રાહુલ ગાંધી તેમની જગ્યાએ છે. 


ઘોર કળિયુગ! દીકરી પર જ પિતાએ આચર્યું દુષ્કર્મ અને.., જાણો સુરતનો હચમચાવી દેતો કિસ્સો


તમને જણાવી દઈએ કે બુધવાર બે અને ગરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 સભાઓ ગજવી હતી. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને છેલ્લે જામનગરમાં એમ સતત ચાર જાહેર સભાને સંબોધી હતી.