અમદાવાદ : અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલ પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા 3 દિવસથી રઝળી રહેલા બેંગ્લુરૂના પરિવારને આશ્રમ સંચાલકો દ્વારા સતત રંઝાડ કરવામાં આવી રહી છે. આ મુદ્દો હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલો છે. જો કે આ મુદ્દે આશ્રમ સંચાલક નિત્યાનંદ ભેદી રીતે મૌન હતો. પરંતુ આજે તેણે એક વીડિયો દ્વારા જણાવ્યું કે, અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે. તેમાં પણ ગુજરાતનાં અનુયાયીઓ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત આવી રહેલા ભૂકંપના આંચકા માટે વધુ વરસાદ કારણભૂત છે, જુઓ શું કહ્યું એક્સપર્ટે...
સતત આવી રહેલા ભૂકંપના આંચકા માટે વધુ વરસાદ કારણભૂત છે, જુઓ શું કહ્યું એક્સપર્ટે...
નિત્યાનંદ આશ્રમ પહોંચી SIT ટીન, પોલીસ વડાની કડક સુચના
નિત્યનંદિતાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશનની રચના કરવામાં આવી છે. સીટ દ્વારા શકમંદ પ્રવૃતી મુદ્દે આશ્રમમાં તપાસ ચાલુ કરવામાં આવી છે. નિત્યનંદિતા જ્યાં શંકાસ્પદ રીતે અવર જવર કરતી હતી તેવી પુષ્પક સિટીમાંથી નિત્યાનંદિતાની વસ્તુઓ જપ્ત કરી હતી. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ એસપી રાજેન્દ્ર અસારી અને આઇજી એકે જાડેજાને ગાંધીનગર બોલાવી તપાસ અંગે માહિતી મેળવી અને બંન્ને યુવતીઓને તત્કાલ શોધવા માટેની પણ સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સીટમાં 2 dysp, 2 pi, 2psi, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube