Nadiad News : આજના જમાનામાં કોઈ પણ વસ્તુ ચોખ્ખી મળવી મુશ્કેલ છે. ફળ, શાકભાજી, અનાજ, મસાલામાં ભેળસેળ થતી હોય છે. આવી રોજિંદા વપરાશની ચીજવસ્તુ બનાવટથી માંડીને આપણા ઘરમાં પહોંચે ત્યાં સુધી થોડાઘણા અંશે કંઈકને કંઈક ભેળસેળ થતી હોય છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાં અથવા તો તેની બનાવટમાં થતી ભેળસેળને રોકવી આપણાં હાથમાં નથી. માર્કેટમાંથી સતત આવી નકલી વસ્તુઓ બનાવતી કંપનીઓ પકડાઈ રહી છે. જેઓ ગ્રાહકના સ્વાસ્થય સાથે ચેડા કરે છે. ત્યારે નડિયાદ શહેર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. નડિયાદમાં મોટાપાયે નકલી હળદર બનાવવાનું કારખાનું ઝડપાયું છે. આ લોકો રૂપિયા કમાવવા માટે કેવી રીતે હળદર બનાવતા હતા તે જાણીને તમે પણ ચોંકી જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો હોવાની નડિયાદ પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે સરનામાંવાળી જગ્યા પર પોલીસે રેડ પાડી હતી. જેમાં ચેકીંગ કરતા ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું હતું. ડુપ્લીકેટ હળદર કેવી રીતે બનાવાય છે તે જાણ્યા બાદ નડિયાદ પોલીસના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જુદા જુદા કેમિકલ મિક્સ કરીને અને તેમાં કણકીનો લોટ નાંખી હળદર બનાવવામાં આવતી હતી. 


અમદાવાદીઓ માટે ચિંતાનો વિષય, બિલ્ડરોના પ્રતાપે તમે શ્વાસની બીમારીના થાઓ છો શિકાર


કોણ છે એ ગુજરાતી શિક્ષક, જેમને પીએમ મોદીએ દિલ્હી બોલાવીને દિલ ખોલી વખાણ કર્યાં


નડિયાદ પોલીસે ડુપ્લીકેટ હળદર બનાવવાના કારખાના પર રેડ પાડીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. 


અનાજ ભરવાની કોઠીમાં દીકરાનો મૃતદેહ જોઈ માતાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ