ઝી બ્યુરો, અમદાવાદ: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 2,01,961 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ત્યારે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આજે રાત્રે 10 વાગ્યે ડેમના 23 દરવાજા ખોલીને 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામોની મુશ્કેલીમાં વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. પાણીની આવક થતા હાલ ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી છે. ત્યારે હજુ પણ પાણીની આવકના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને આજે રાત્રે નર્મદા નદીમાં 4.05 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાશે. સરદાર સરોવર બંધ પૂર નિયંત્રણ કચેરી દ્વારા ચેતવણી જારી કરતા જણાવાયું હતું કે, 15 ઓગષ્ટની રાત્રિના 10 વાગે સરદાર સરોવર ડેમના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલીને જળાશયમાંથી નર્મદામાં 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે.


રાજ્યના પાંચ જિલ્લામાં સૌથી વધુ કેસ, કોરોનાએ આટલા દર્દીઓનો લીધો ભોગ


આ ઉપરાંત રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. જેના કારણે નર્મદા નદીમાં કુલ 4.50 લાખ ક્યુસેક પાણી ઉમેરાતા જળ પ્રવાહમાં સારો એવો વધારો થશે. જેને લઇને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરતા દુર્ઘટના અને જાનહાનિ અટકાવવા અત્યધિક સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. હાલમાં જારી કરવામાં આવેલી ચેતવણી જણાવે છે કે રેડિયલ ગેટ્સમાંથી નર્મદામાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ સમયાંતરે વધીને 4 થી 5 લાખ ક્યુસેક થઈ શકે છે.


રાજ્યમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, 170 ફૂટ ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સજર્યો ઈતિહાસ


રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 135.29 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 3 મીટર દૂર છે. ત્યારે નર્મદામાં છોડવામાં આવતા પાણીને લઇને વડોદરા જિલ્લાના તાલુકાના ગામોને અસર થશે. ડભોઇ તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ચાંદોદ ખાતે પસાર નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. પાણીની આવક થતા મહાલરાવ ઘાટના 45 પગથિયાં બાકી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube