GUJARAT CORONA UPDATE: રાજ્યના પાંચ જિલ્લામાં સૌથી વધુ કેસ, કોરોનાએ આટલા દર્દીઓનો લીધો ભોગ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 3,719 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3,700 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,51,031 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે

GUJARAT CORONA UPDATE: રાજ્યના પાંચ જિલ્લામાં સૌથી વધુ કેસ, કોરોનાએ આટલા દર્દીઓનો લીધો ભોગ

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 200 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 290 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 635 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.84 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 3,719 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3,700 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,51,031 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,993 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 105 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 39, કચ્છમાં 17, સુરત કોર્પોરેશનમાં 17, ગાંધીનગરમાં 13, સુરતમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, અરવલ્લીમાં 7, રાજકોટમાં 7, મહેસાણામાં 6, નવસારીમાં 6, સાબરકાંઠામાં 6, વલસાડમાં 6, આણંદમાં 5, મોરબીમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 5, બનાસકાંઠામાં 4, પંચમહાલમાં 4, ગીર સોમનાથમાં 3, વડોદરામાં 3, અમરેલીમાં 1, ભાવનગરમાં 1, જામનગરમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.

જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 195 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 57, કચ્છમાં 18, સુરત કોર્પોરેશનમાં 39, ગાંધીનગરમાં 16, સુરતમાં 30, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, અરવલ્લીમાં 12, રાજકોટમાં 14, મહેસાણામાં 22, નવસારીમાં 5, સાબરકાંઠામાં 10, વલસાડમાં 6, આણંદમાં 8, મોરબીમાં 22, રાજકોટ કોર્પોરેશનમાં 46, બનાસકાંઠામાં 19, પંચમહાલમાં 4, વડોદરામાં 25, અમરેલીમાં 16, જામનગરમાં 2, અમદાવાદમાં 4, ભરૂચમાં 12, દાહોદમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, જામનગર કોર્પોરેશનમાં 13, ખેડામાં 1, પાટણમાં 2, પોરબંદરમાં 6 અને સુરેન્દ્રનગરમાં 5 દર્દીઓ સાજા થયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 58,975 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 251 ને રસીનો પ્રથમ અને 732 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 4 ને રસીનો પ્રથમ અને 78 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 5,165 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 167 ને રસીનો પ્રથમ અને 608 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 51,970 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,00,10,105 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news