ઝી બ્યુરો નવસારી: તમારી ઓળખ થકી સમાજમાં માન સન્માન મળતું હોય છે. પરંતુ ખોટી ઓળખ આપીને છેતરપીંડી કરનારાઓની સંખ્યા પણ સમાજમાં વધી રહી છે. ત્યારે એક મહિના અગાઉ નવસારીના ખેરગામ ગામે શ્રી જલારામ જવેલર્સમાં વલસાડની ડે. કલેકટરની ઓળખ આપીને 6.63 લાખના દાગીના ખરીદી વાંસદાની યુવતીએ ઠગાઈ કરતા ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શક્તિસિંહના નિવેદન બાદ પાટીલનો પલટવાર; 'આંચકી લેવાની માનસિકતા અમારી નહીં પણ....'


નવસારીના ખેરગામ ગામે ઝંડા ચોક નજીક આવેલ શ્રી જલારામ જવેલર્સમાં ગત 23 માર્ચે પહોંચેલી વાંસદાના વાંસિયા ફળિયાની હેતલ પટેલે પોતાની ઓળખ વલસાડમાં ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. સાથે જ તેણે નજીકના તોરણવેરા ગામના આયુર્વેદિક વૈદ્ય ઝીણા ગાવિતની ઓળખાણ આપી, સોનાના દાગીના ખરીદવાની વાત કરી હતી. જવેલર્સ અલ્પેશ પારેખે ઝીણા ભગતની ઓળખાણ આપતા અને ડે. કલેકટર હોવાથી હેતલને સોનાના ઘરેણા બતાવ્યા હતા. જેમાંથી હેતલે 1 મંગળસૂત્ર, બે ચેઇન, લુઝ અને બુટ્ટી ખરીદી હતી અને જેની કુલ કિંમત 6.63 લાખ રૂપિયા થઈ હતી. 


ગુજરાતના માથે સફેદ કલંક! સતત બીજા દિવસે 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા


મોટી રકમ હોવાથી હેતલ પટેલે ચેકથી ચૂકવણું કરવાની વાત કરી હતી. જેમાં હેતલ પટેલે તેનો પતિ સંજય પટેલ સુરતની સુમુલ ડેરીમાં મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાવી, તેની સાથે વીડિયો કોલ પર પણ વાત કરીને જવેલર્સ અલ્પેશ પારેખને વિશ્વાસ અપાવ્યો હતો. જેથી અલ્પેશે 6.63 લાખનો ચેક લીધો અને દાગીના આપ્યા હતા. હોળી પહેલાના શનિવારે દાગીના ખરીદી કર્યા એટલે અલ્પેશને રજાઓને કારણે ચેક નાંખતા 4 દિવસ થયા હતા. બેંકમાં ચેક નાંખ્યા બાદ ચેક બાઉન્સ થયો હતો. જેથી અલ્પેશે હેટલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તો ફોન સ્વીચ ઓફ અને અનરીચેબલ આવતો હોવાથી, તેના મનમાં ફાળ પડ્યો હતો. 


રેકોર્ડતોડ! એક વર્ષમાં આ કંપનીએ તાબડતોડ વેચી 20 લાખ કાર, જાણો વિગત


ઝીણા ભગતનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યુ કે મારે ત્યાં બાળક ન થતા હોવાથી આયુર્વેદિક દવા લેવા આવતી હોવાની જ ઓળખાણ હોવાનું જણાવ્યુ હતુ. દરમિયાન સુરતમાં જવેલર્સ સાથે ઠગાઈ થઈ હોવાના સમાચાર જાણતા અલ્પેશે તપાસ કરી અને એમાં હેતલ પટેલ પકડાઈ હોવાની માહિતી મળી હતી. જેથી અલ્પેશ, ઝીણા ભગત સાથે તેને શોધવા સુરત પણ ગયો હતો. જેથી લાખોમાં ઠગાયાનો અનુભવ થતા અલ્પેશ પારેખે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી, આગળની તપાસ આરંભી છે.


જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામ


ખેરગામના શ્રી જલારામ જવેલર્સમાંથી 6.63 લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર હેતલ પટેલ સુરતમાં પણ જવેલર્સમાં લાખોની છેતરપીંડી કરવાના ગુનામાં પકડાઈ હતી અને હાલ સુરત મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહી છે. જેથી ખેરગામ પોલીસ ઠગાઈ કરનાર હેતલ પટેલને ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી તપાસને વેગ આપશે.