ઉદય રંજન, અમદાવાદ: રાજ્યમાં વધતા જતા ક્રાઇમ રેટની સાથે બળાત્કારની ઘટનાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ઉના નજીક 12 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે અમદાવાદમાં આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પાડોશી યુવકએ લગ્ન કરવાનું કહીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પીડિત સગીરાના પરિવારને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉંમર નોકરી ધંધો કરી પગભર બનવાની ઉંમરે આરોપી આકાશે સગીરા સાથે લગ્નનું નાટક આચર્યું હતું. વાત એમ છે કે આ યુવક જ્યાં તેના સંબંધી ના ઘરે રહે છે ત્યાં નજીકમાં એક સગીરા રહે છે. આ સગીરા સાથે સંપર્કમાં આવતા પ્રેમભરી વાતો કરી આરોપીએ તેને ફોસલાવી હતી. બાદમાં એક રણછોડપુરા ગામમાં બોલાવી ત્યાં લગ્નની લાલચ આપી પતિ પત્ની તરીકે રહીશું તેવો વાયદો કર્યો હતો. આરોપીએ પતિ પત્નીની જેમ સંબંધ બાંધવા સગીરાને કહ્યું હતું પરંતુ સગીરાએ ના પાડી છતાંય આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. 


સગીરાના પરિવારજનોએ આકાશને સંબંધ રાખવાની મનાઇ કરતાં આકાશે માથાકૂટ કરી હતી. સગીરા ના પરિવાર જનોની મનાઈ હોવા છતાંય સગીરાને ફોન આપી આરોપી પ્રેમભરી વાતો કરતો અને સગીરા ને એક બાદ એક ફોસલાવી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. આખરે ભાંડો ફૂટતા જ સગીરાના પરિવારે સરખેજમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 


હાલ પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પણ આ કિસ્સો સમાજમાં લાલબત્તી સમાન છે કારણ કે બાળકોનું ટેકનોલોજીના યુગમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું છે. બાળકો ટેકનોલોજી સાથે સાથે આવા વ્યક્તિઓના સંપર્કમાં આવતા જ તેઓની જિંદગી નર્ક બની જતી હોય છે. ત્યારે સમાજમાં રહેતા લોકોને પણ અપીલ છે કે બાળકોનું ધ્યાન રાખવું નહિ તો દુઃખનો પહાડ તૂટી પડતા વાર નહિ લાગે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube