Rajputs Boycott BJP : રાજકોટમાં રૂપાલા સામે વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. મોહન કુંડારિયાના નામની ચર્ચા વચ્ચે રૂપાલાએ ખુદ ખુલાસો કર્યો છે કે મોહન કુંડારિયા ડમી ઉમેદવારી ભરવાના છે. પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે કે રાજકોટમાં ઉમેદવાર બદલવો જોઈએ કે નહીં. ક્ષત્રિયોએ રાજકોટમાં એક મોટી સભા યોજવાની તૈયારીઓ કરી લીધી છે ત્યાં આજે આ મામલાએ એક નવો વળાંક લીધો છે. આજે ભાવનગર, સુરત, મહિસાગર અને સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતાં ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશ મળે તેવી ઓછી સંભાવના વચ્ચે આજે પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ જાહેર કરી છે. રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે. રાજકોટ એ પાટીદાર સમાજનો ગઢ છે. અહીં કડવા અને લેઉવા પાટીદારો રૂપાલાને 5 લાખની લીડથી જીતાડવાની ક્ષમતા ધરાવે છે પણ ભાજપ આ સીટની અસર બીજા જિલ્લાઓમાં ન પડે માટે ફૂંકી ફૂંકીને નિર્ણયો લઈ રહી છે.  


સુરતમાં મહામારી ફેલાઈ : રોગચાળો વકરતા સિવિલના દરેક વોર્ડ દર્દીઓથી ઉભરાયા


રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે થઈ રહેલા ક્ષત્રિયોના વિરોધ મામલે મોટા સમાચાર બહાર આવી રહ્યાં છે. રાજકોટ લોકસભા ના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આજે નવી જાહેરાત કરી હતી.


 


મોહન કુંડારિયા મામલે રૂપાલાનો જ ખુલાસો, જાણો રાજકોટમાં રૂપાલા બદલાશે કે નહીં?


રૂપાલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ક્ષત્રિય સમાજની માફી વિશે કહ્યું કે, મેં તો મારુ સ્ટેન્ડ પહેલાં જ દિવસે ક્લિયર કર્યુ હતું. મારાથી શાબ્દિક ભૂલ થઈ હતી, તેની સામે મે માફી માંગી હતી. મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ માફી પણ આપી હતી. તે વિષય પૂરો થયો હતો. હવે તેમના વિષયને લીધે તેઓએ પાર્ટી સામે માંગણી કરી હશે. એ સમાજ અને પાર્ટી વચ્ચનો વિષય છે. તેમાં મારે વચ્ચે પડવાનું ન હોય. દરેક સમાજને પોતાની વાત કરવાના પણ અધિકાર હોય છે. વિપક્ષને પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાના અધિકાર હોય છે. સમાધાન થાય, ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેટલા માટે તો મેં માફી માંગી છે. ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ સમાજ માફી આપે તેવુ અમે અને આગેવાનો કહી રહ્યાં છે. મને એવુ લાગે છે આ વિષય અહી અટકાવી દેવો જોઈએ. તેના પર ડિબેટ કરવાથી કોઈ અંત નહિ આવે. 


 


રાજકોટમાં વન વે જીતે છતાં ભાજપને કેમ લાગ્યો ડર? આ 10 કારણો છતાં રૂપાલાને નહીં બદલે?