હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના કોરોના (Coronavirus) અટકવાનુ નામ નથી લેતો. આરોગ્ય સચિવ જયંતી રવિએ આપેલી માહિતી મુજબ, આજે ગુજરાતમાં નવા 308 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ 234 કેસ સાથે અમદાવાદ ટોપ પર છે, તો એક દિવસમાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. આમ, ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4082 પર પહોંચી ગયો છે અને કુલ 197 લોકોના મોત ગુજરાતમાં અત્યાર સુધી થયા છે. નવા 15 કેસ, સુરતમાં 31, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 3, ભાવનગરમાં 2 અને પંચમહાલ એક કેસ નોંધાયો છે. સાથે જ સારા સમાચાર આપતા આરોગ્ય સચિવે જણાવ્યું કે, હવે પોરબંદર, જામનગર અને મોરબી આ ત્રણ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ અત્યારે સારવાર હેઠળ નથી. તો અમરેલી, દ્વારકા અને જૂનાગઢમાં અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ હજુ સુધી નોંધાયો નથી. 


દ્વારકાધીશના આશીષ અને પરફેક્ટ એક્શન પ્લાનનું સહિયારું ફળઃ સમગ્ર દ્વારકામાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નહિ