હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના ટેસ્ટિંગના ઊભા થયેલા વિવાદ સામે ગુજરાત સરકાર સામે સતત આંગળી ચિંધાઈ રહી છે. તો આ ઉપરાંત લોકડાઉન વધારવા અંગેની બાબતે પણ જોર પકડ્યું છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બંને મુદ્દે સ્પષ્ટતા કરી હતી. ગુજરાતમાં લોકડાઉન વધારવા અંગે થઈ રહેલી વાતો અંગે તેઓએ સ્પષ્ટતા કરી કે, લોકડાઉન અંગે ઘણા બધા લોકો અલગ-અલગ પ્રકારની અફવા ફેલાવે છે. પરંતુ દરેક રાજ્યની અલગ અલગ પરિસ્થિતિ છે. રાજસ્થાન બોર્ડર સીલ કરી એ રાજસ્થાન સરકારનો નિર્ણય છે. ગુજરાત સરકાર લોકડાઉન (lockdown) લંબાવવા અંગે કે તેમાં ફેરફાર કરવા અંગે કોઇ વિચારણા કરી નથી રહી. રાજ્ય સરકારે તો લોકોની આવક થાય તે માટે છૂટછાટો આપી છે, મંદિરોને પણ છૂટછાટ આપી છે. સરકારે આપેલી છૂટછાટોનું શિષ્ટપૂર્વક પાલન કરો એ જરૂરી છે.


Coronaupdates : ભરૂચમાં 7 અને જામનગરમાં 3 નવા કેસ, વડોદરા જિલ્લામાં શાકભાજીના વેપારીઓ ઝપેટમાં 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતમાં ટેસ્ટીંગ મુદ્દે ઉઠેલા વિવાદ અંગે નીતિન પટેલે મીડિયાને જવાબ આપ્યો કે, કોરોનાની વિવિધ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ મહામારીએ તેવા સમયે નાગરિકોને ઉપયોગી થવા માટે ત્યારે સ્વભાવિક છે પ્રશ્નો અને જરૂરિયાતો ઉભી થતી જાય તે પ્રમાણે રાજ્ય સરકાર નિર્ણય લેતી હોય છે. 10 ડૉક્ટરોની કમિટીએ કરેલી ભલામણોને આધારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ડોક્ટરની કોર કમિટી સાથે બેઠક થઇ હતી. ગુજરાત કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે અને વધુ સારું સારવાર આપવા માટે માર્ગદર્શન મેળવવામાં આવી રહી છે. નાગરિકોને કોઈને શંકાસ્પદ લાગે કોરોનાના ટેસ્ટ કરાવવા ઈચ્છે છે. એટલા માટે કોરોનાના કેસ ટેસ્ટીગની સારી રીતે વધારવી જોઈએ. લોકોની માગણી હતી આ વ્યવસ્થાને વધુ વ્યાપક બનાવવામાં આવે. અમદાવાદના એમ.ડી ડોક્ટરો કે તેના ઉપરના ડોક્ટરો 1400 જેટલા ડોક્ટરો કે જેવો ખાનગી પ્રેક્ટિસ કરે છે. આવા ડોક્ટરોની ભલામણ કરવામાં આવશે તો આવા ડોક્ટરોની કોરોના ટેસ્ટિંગ કરી શકાશે. અમદાવાદના એમ.ડી જે કોઈપણ નાગરિક પોતાની શારીરિક ચકાસણી માટે કોરોના છે કેમ કે બીજા કોઈ લક્ષણો છે કેમ જશે એ ડોક્ટરોને એમ લાગશે પાડો ને એમ લાગશે કે તે જ કરાવવો જરૂરી છે તેવા વ્યક્તિને ડોક્ટરની ભલામણને આધારે બીજી ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરી શકાશે. જો આમ આ કેસ કર્યા પછી પોઝિટિવ કેસ આવશે તો સરકાર તરફથી જે હોસ્પિટલોની વ્યવસ્થા કરવામાં આવી છે કે ખાનગી હોસ્પિટલ સરકારી કે બેડ  મેળવ્યા છે તેને સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદના એમડી ડોક્ટર ને એમ લાગે કે કોઈ વ્યક્તિને કેસ કરાવો છો તેને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી શકશે. જોકે સરકારને તેની જાણ કરવી પડશે. આવતીકાલથી તેનો અમલ કરવામાં આવશે. 


CAITએ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું લાંબુ લિસ્ટ બનાવ્યું, દેશી માસ્ક અને ચાના કપ બનાવ્યા