ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 810 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.67 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5,729 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5,714 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,45,890 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,981 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, જૂનાગઢ અને મહિસાગર જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી.


હવામાન વિભાગે કહ્યું- ગુજરાત પરથી પસાર થશે... ભારે વરસાદની આગાહી વચ્ચે ખતરાનો સંકેત!


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 261 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 91, સુરત કોર્પોરેશનમાં 37, સુરતમાં 29, રાજકોટ કોર્પોરેશનમાં 27, મહેસાણામાં 22, બનાસકાંઠામાં 19, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ભરૂચમાં 14, રાજકોટમાં 14, કચ્છમાં 13, અમરેલીમાં 12, ગાંધીનગરમાં 12, પાટણમાં 12, અરવલ્લીમાં 10, સાબરકાંઠામાં 10, પોરબંદરમાં 9, વડોદરામાં 8, આણંદમાં 7, ભાવનગર કોર્પોરેશનમાં 7, નવસારીમાં 7, વલસાડમાં 6, ખેડામાં 5, અમદાવાદમાં 4, જામનગર કોર્પોરેશનમાં 4, પંચમહાલમાં 4, સુરેન્દ્રનગરમાં 4, દાહોદમાં 3, મોરબીમાં 3, ભાવનગરમાં 2, જામનગરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, ગીર સોમનાથમાં 1, નર્મદામાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.


મચ્છરોને ભગાડવા ક્યારે પણ ના કરો આ વસ્તુનો ઉપયોગ, જાણો શું કહે છે મેડિકલ ઓફિસર


જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 288 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 92, સુરત કોર્પોરેશનમાં 35, સુરતમાં 17, રાજકોટ કોર્પોરેશનમાં 31, મહેસાણામાં 35, બનાસકાંઠામાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 41, ભરૂચમાં 5, રાજકોટમાં 31, કચ્છમાં 27, અમરેલીમાં 20, પાટણમાં 26, અરવલ્લીમાં 6, સાબરકાંઠામાં 16, પોરબંદરમાં 1, વડોદરામાં 38, નવસારીમાં 15, વલસાડમાં 12, ખેડામાં 4, અમદાવાદમાં 7, જામનગર કોર્પોરેશનમાં 9, સુરેન્દ્રનગરમાં 3, મોરબીમાં 19, જામનગરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 15 અને તાપીમાં 1 દર્દીઓ સાજા થયા છે.


નાની ઉંમરમાં ફેમસ થવાના ચક્કરમાં યુવક કરી બેઠો એવું કામ, પછી પોલીસે જે હાલ કર્યા તે...


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,53,910 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 543 ને રસીનો પ્રથમ અને 2,549 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 24 ને રસીનો પ્રથમ અને 92 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 12,921 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 88 ને રસીનો પ્રથમ અને 465 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 1,37,228 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,91,15,910 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube