garba permission : અત્યાર સુધી એવુ હતુ કે, રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને. કારણ કે, ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ હાલમાં જ જાહેરાત કરી કે, હવે ગમે તેટલા વાગ્યા સુધી ગરબા કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરી ગરબા અને જાહેર ગરબાના નિયમો અલગ હશે
નવરાત્રિ મહોત્સવને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે. વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે. રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી છે. દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી છે. હોસ્પિટલ અને સોસાયટી નજીક કાળજી રખાશે. નાગરિકોને મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. શેરી ગરબા અને જાહેર ગરબાના નિયમો અલગ બનાવવામાં આવશે. 


 


એક જંગલમાં બે રાજા! ગીર જંગલમાં જોવા મળ્યા દીપડાના ટોળેટોળા, અદભૂત દ્રશ્યો કેદ


તો આ સાથે જ અમદાવાદના ચાણક્યપુરીમાં શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોના આતંકનો મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. જે કાયદો તોડશે તેની સાથે શુ વ્યવહાર કરવો તે પોલીસ જાણે છે. કાયદો તોડશે તો નુકશાન જરૂર થશે. દાદાના રાજમાં કોઈની પણ દાદાગીરી ચલાવી લેવામાં નહી આવે. સાત જન્મ સુધી યાદ રહે તેવી કાર્યવાહી થશે. 


સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાનો મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, કોર્ટમાં આ મેટર પડકારવામાં આવી છે. અમે કોર્ટમાં જવાબ આપીશું. મહત્વનું છે કે, સોમનાથમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે મામલે અરજી કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે, આ મામલે જેમણે દબાણ કર્યું છે તેમને નોટિસ આપવામાં આવી હતી. સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં 58 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર, 4 હાઈડ્રા, 18 ડમ્પર, 2 એમ્બ્યુસન્સ અને ત્રણ ફાયર ફાઈટર સહિતનાં સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા