• અમદાવાદમાં ધોળે દહાડે એક વૃદ્ધ દંપતીની હત્યાનો ચકચારી બનાવ બન્યો છે

  • આ હત્યા પાછળ કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા છે


અર્પણ કાયદાવાલા/મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં આજે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાયડ્સ રોડ ઉપર આવેલ શાંતિ પેલેસ બંગલોમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે. ઘરમાં એકલા રહેતા દંપતીની લૂંટ કરવાના ઈરાદે આવેલા શખ્સોએ હત્યા કરી છે. ઘરમાં દંપતી એકલા જ રહેતા હતા. સવારે પાડોશી તથા ચોકીદારને બનાવ અંદાજે સવારના 8:15 થી 8:45 સુધીમાં આશરે 30 મિનિટના ગાળામાં બની હતી. આ બનાવથી અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. ડીસીપી, એસીપી સહિતનો સ્ટાફ હત્યારાઓની શોધમાં લાગી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતુ દંપતી અશોકભાઈ કરશનભાઈ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની કરપીણ હત્યા કરવામા આવી છે. તેમનો પુત્ર દૂબઈમાં રહે છે. અશોકભાઈ અગાઉ પ્લાયવુડનો બિઝનેસ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ રિટાયર્ડ લાઈફ જીવતા હતા. તેમનો દીકરો દૂબઈમાં રહેતો હોવાથી તેઓ દૂબઈમાં આવતા-જતા પણ હતા.  લોકડાઉનમાં પણ તેઓ દૂબઈમાં જ હતા. 6 મહિના પહેલા જ દૂબઈથી અમદાવાદ આવ્યા હતા. 


આ પણ વાંચો : ઘરનો મોભી નરેન્દ્ર સોનીએ જ બધાને ઝેર ભરેલું પીણું આપ્યું હતું, પછી પૌત્રને લઈને પલંગ પર સૂઈ ગયા હતા 


ચોકીદારને કંઈક થયુ હોવાની શંકા ગઈ
વૃદ્ધ દંપતીની હત્યાની સૌથી પહેલી જાણ તેમના ચોકીદારને થઈ હતી. જેના બાદ તેમના પાડોશી મનીષાબેને ઘરમાં જઈને તપાસ કરી હતી. બન્યું એમ હતું કે, મનીષાબેને રોજ સવારની આદત મુજબ ચાલતા જતા સમયે અશોકભાઈને બૂમ પાડી હતી. આ દરમિયાન અશોકભાઈ પોતાની ગાડી સાફ કરતા કરતા ગીતો સાંભળતા હોય છે. આજે પણ પણ તેમણે અશોકભાઈને બૂમ પાડી હતી. જેના બાદ તેમણે જ્યોત્સનાબેનને ચકરી પાડવા મામલે કહ્યું હતું. આ વાત થઈને મનીષાબેન ન્હાવા ગયા હતા. બહાર આવ્યા બાદ અચાનક ચોકીદારે મનીષાબેનને બૂમ પાડી હતી. ચોકીદારે મને બૂમ પાડીને જણાવ્યું કે મનિષાબેન બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છે, જેથી મેં બહાર આવીને જોયું તો કાકાના ઘરના પડદા જે ક્યારેય બંધ નથી હોતા તે બંધ જોયા. પછી મેં વિચાર્યું કે કાકા અને કાકી ઉતાવળમાં બહાર ગયા હશે. પરંતુ બંને વાહનો પણ પડ્યા હતા. જેથી મેં ચોકીદારને કહ્યું કે તમે અંદર જઈને જોવો તો ચોકીદારે રસોડાના પાછલા બારણે જઈને જોયું ત્યારે અંદર સામાન વેરવિખેર હતો જેથી ચોકીદારે મને બૂમ પાડીને બોલાવી જે બાદ હું ઘરમાં ગઈ અને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો.


આ પણ વાંચો : અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા, સવારે 8 વાગ્યા બાદ ઘરમાં ત્રાટક્યા હતા લૂંટારું 


સુરતમાં આયશાવાળી થતા રહી ગઈ, રીક્ષાચાલકે મહિલાને તાપીમાં આત્મહત્યા કરતી બચાવી લીધી