લાલજી પાનસુરીયા/આણંદ :આણંદમાં લગ્નપ્રસંગે આવેલા જાનૈયાઓ સાથે અજીબ ઘટના બની હતી. આણંદના ઉમરેઠ પાસે આવેલ મહીસાગર નદીમાં ચાર જાનૈયાઓના ડૂબીને મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા : નાપાસ થવાના ડરે 2 વિદ્યાર્થીઓની આત્મહત્યા, એક વિદ્યાર્થીનીનું આજે હતુ રિઝલ્ટ


પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના પ્રતાપપુરા ગામની આ ઘટના છે. મોરબીથી કેટલાક લોકો લગ્ન પ્રસંગમાં આણંદના ઉમરેઠમાં આવ્યા હતા. ત્યારે જાનમા આવેલી કેટલીક મહિલાઓ મહીસાગર નદીએ નાહવા ગઈ હતી. આ સમયે એક બાળક નદીમાં લપસી ગયું હતુ. ત્યારે આ બાળકને ચાર મહિલાઓ બચાવવા ગઈ હતી. પરંતુ તેમાંથી ત્રણ મહિલાઓ અને એક બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે કે, એક મહિલાનો બચાવ થયો હતો. 


ધોરણ-10માં સૌથી વધુ પર્સન્ટાઈલ લાવનાર આ વિદ્યાર્થીનીઓની સ્ટોરી તમને રડાવી દેશે...


આ પ્રસંગથી જે ઘરમાં લગ્નને કારણે આનંદની લાગણી છવાઈ હતી, ત્યાં હવે માતમ છવાઈ ગયો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV