Jamnagar News : જામનગરની સ્વામીનારાયણ ગુરૂકુળ કોલેજમાં આટલો મોટો ચોરીકાંડ થયો પછી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચૂપ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ પેટમાં પાપ છુપાવીને બેઠા છે. જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના ટ્ર્સ્ટી હોવાથી કાર્યવાહીના નામે માત્ર નાટક કરી રહ્યાં છે. ત્યારે હવે સમગ્ર ઘટનાક્રમ બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને ગાંધીનગરનું તેડું આવ્યું છે. ગિરીશ ભીમાણીને શિક્ષણ વિભાગે બોલાવ્યા છે. તયારે ગિરીશ ભીમાણી ગાંધીનગર આવવા માટે રવાના થયા છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડૉ. ગિરીશ ભિમાણીને છુટ્ટા કરી દેવા જોઈએ તેવુ જણાવ્યું. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, પક્ષનું નામ બદનામ ના થાય તે માટે ભીમાણીને હટાવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરની સ્વામિનારાયણ કોલેજમાં થયેલા ચોરીકાંડથી સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. આ ચોરીકાંડથી સમગ્ર ગુજરાતમાં રોષ છે. વિદ્યાર્થીઓ ન્યાયની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. આટલો મોટો ચોરીકાંડ થયા બાદ હજુ સુધી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ સામે કાર્યવાહી નથી થઈ. ZEE 24 કલાકના ઓપરેશન પરીક્ષા પ્રસારીત થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ એ તપાસ કઈ દિશામાં થઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે. પરીક્ષામાં VIP વિદ્યાર્થીઓને ચોરી કરાવનારી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ સામે ક્યારે કાર્યવાહી થશે. કોલેજ સામે તપાસ થઈ તો કાર્યવાહી ક્યારે થશે. આટલો મોટો ચોરીકાંડ બાદ તરત કાર્યવાહી થવી જોઈતી હતી. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીની નિયત સામે સવાલ ઉભો થઈ રહ્યો છે. તપાસ થઈ ગયા બાદ પણ કુલપતિ ગિરીશ ભીમાણીએ કોલેજ સામે કેમ કાર્યવાહી ના કરી. સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ સામે કાર્યવાહી ના કરીને શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ આ મામલામે આડે રસ્તે લઈ જવા માગે છે. 



આ સળગતા સવાલોનો સરકાર આપે જવાબ 
ચોરીકાંડમાં મૂક પ્રેક્ષક બનીને કેમ બેઠા છે સત્તાધીશો? શરૂઆતમાં તપાસનું નાટક માત્ર દેખાડા માટે જ કર્યું? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભિમાણી કોને બચાવવા માગે છે? પદનો ગેરઉપયોગ કરીને કોલેજને બચાવવા માગે છે ભિમાણી? ગુજરાતને લાંછન લગાડનારી ઘટનામાં કેમ હજુ સુધી કાર્યવાહી નહીં? કાર્યવાહીની ખાતરી બાદ પણ કેમ હજુ સુધી કોઈ નિર્ણય નહીં? ગિરીશ ભિમાણી પોતાનું પાપ છૂપાવીને ક્યાં સુધી બચી રહેશે? ક્યાં સુધી હજારો વિદ્યાર્થીઓની આંખમાં ધૂળ નાખતા રહેશે ગિરીશ ભિમાણી? ભિમાણીએ કોલેજની વેબસાઈટ પરથી કેમ પોતાનું નામ હટાવી દીધું? જ્યાં પરીક્ષામાં ચોરી થતી’તી ત્યાનાં ફૂટેજ ગાયબ કેમ થયા? કુલપતિ તરીકે નાઘેડીકાંડમાં ભિમાણીની કંઈ જવાબદારી નથી? ગિરીશ ભિમાણી સ્વેચ્છિક જવાબદારી કેમ સ્વિકારતા નથી? ચોર જ ચોરીની તપાસ કરશે તો સત્ય કેમ બહાર આવશે?



સીસીટીવી શોભાના ગાંઠિયા, પરીક્ષાનું રેકોર્ડિંગ ન થયું 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરુંના ધજાગરા કરતી માહિતી એ છે કે, યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રનું CCTV રેકોર્ડિંગ જ નથી થતું. મોનિટરિંગ રૂમમાં CCTVનું રેકોર્ડિંગ જ નથી થતું. યુનિવર્સિટી એક તરફ, પરીક્ષામાં CCTV મોનિટરિંગના દાવા ઠોકે છે. પરંતું યુનિવર્સિટીને શિક્ષણના સ્તરની કોઈ ગંભીરતા નથી. જે બતાવે છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુમાવી દીધી પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. સત્તાધીશોએ યુનિવર્સિટી પર લાંછન લગાવ્યું છે.