સુરત: શહેરના પુણાગામ, મોટા વરાછા સહિતના તમામ વિસ્તારોની સોસાયટીમાં પાણી મીટર આવવાને લઈ સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ અંગે મનપા કમિશનરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત મહાનગર પાલિકા દ્વારા અમરોલી બાદ હવે પુણા ગામ, મોટા વરાછા સહિતના વિસ્તારોમાં પાણીના મીટર લગાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. ત્યારે આ વાતને લઈ સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 બાળકોનો પિતા નીકળ્યો અઢી વર્ષની બાળકીનો રેપિસ્ટ, સાણંદમાં આખી રાત ફેરવી સવારે ઘર નજીક મૂકી ગયો


અગાઉ પણ આ અંગે સ્થાનિક લોકો દ્વારા રેલી કાઢી વિરોધ કરનાર હતા. જો કે પોલીસે રેલી નીકળે તે પહેલાં જ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ સોસાયટીના 10 હજારથી વધુ લોકોએ ફોર્મ ભરી પાણીના મીટરનો વિરોધ નોંધાવ્યો હતો. આજરોજ સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જો આ અંગે યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી ઉચારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube