Loksabha Election 204 : ગુજરાતમાં ભાજપ ભલે 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માટેના દાવા કરી રહ્યું હોય પણ અંદરો અંદરનો કકળાટ ઓછો થી રહ્યો નથી. દર ચૂંટણીમાં કોંગ્રેસમાં થતો કકળાટ હાલમાં ભાજપમાં જોવા મળી રહ્યો છે. ભાજપે 2 લોકસભાની સીટના ઉમેદવારો બદલી દેવાનો પ્રયોગ કરવો પડ્યો છે. આમ છતાં હજુ પણ મોદી સરકારના 2 મંત્રી અને સાબરકાંઠાના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઓછો થયો નથી. ગુજરાતમાં ભાજપે 26 ઉમેદવારો જાહેર તો કરી દીધા છે, હવે આ લોકો ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે. ગુજરાતમાં બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, વલસાડમાં ધવલ પટેલ, આણંદમાં મિતેશ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના નામનો કકળાટ શરૂ થયો હતો. આ ઉમેદવારોએ તો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો પણ ભાજપે ગુજરાતમાં નવા પ્રયોગના ભાગરૂપે સાબરકાંઠા અને વડોદરામાં તો ઉમેદવાર બદલી દીધા છે. આ વર્ષે ભાજપમાં કકળાટ તો કોંગ્રેસમાં ટનાટન ચાલી રહ્યું હોવાનો ઉભરો સોશિયલ મીડિયામાં આજે પરેશ ધાનાણીએ ઠાલવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના જ્યોતિબેન પંડ્યા એ તાજેતરનું ઉદાહરણ


વડોદરામાં તો વિવાદ અટક્યો છે પણ સાબરકાંઠામાં નવા ઉમેદવાર સામે પણ વિરોધ શરૂ થઈ ગયો છે. ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે એટલે જાહેરમાં બળાપો કાઢનારને ઘરભેગા થવું પડે છે. વડોદરાના જ્યોતિબેન પંડ્યા એ તાજેતરનું ઉદાહરણ છે. ગુજરાતમાં પુરષોત્તમ રૂપાલા અમરેલીના હોવા છતાં પણ ભાજપે રાજકોટથી ટિકિટ આપી છે. પરશોતમ રૂપાલાનું નામ જાહેર થયા બાદ રાજકોટમાં સી આર પાટીલ અને વિજય રૂપાણી જુથ વચ્ચે, વાંકાનેરમાં ધારાસભ્ય જીતુ સોમાણી અને સાંસદ મોહન કુંડારીયા જૂથ વચ્ચે તો જસદણમાં ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા વચ્ચેનો જુથવાદ પૂરો થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જૂથવાદને કારણે એકબીજાથી અંતર બનાવતા નેતાઓ ક્યારેક સ્ટેજ પર સાથે જોવા મળી રહ્યા છે તો ક્યારેક એક પંગતમાં બેસીને સાથે જમી રહ્યા છે. ભાજપે ચોખ્ખી સૂચના આપી છે કે કોઈ પણ ભોગે 5 લાખની લીડથી જીતવાનું છે પણ રૂપાલાનો બોલકો સ્વભાવ હવે ભાજપને ભારે પડી રહ્યો છે. 


ભીખાજી ઠાકોરની ટિકિટ કાપવામાં પ્રફૂલ પટેલ વિલન? સાબરકાંઠામાં ફરી ભડકો


દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને ચોટીલા-રાજકોટ હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણના મોત