મયુર સંધિ/સુરેન્દ્રનગર: એક તરફ જિલ્લામાં પીવાના પાણી માટે પણ વલખા બીજી તરફ જિલ્લાનો મુખ્ય ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધો. 10ના પ્રથમ પેપર ગુજરાતીમાં જ બોર્ડે ભાંગરો વાટ્યો: મૂળ પંક્તિના રચનાકારને જ બદલી


બોટાદ રાજકોટ જામનગર મોરબી ભાવનગર સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાંથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધોળીધજા ડેમ એક જ સપ્તાહમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. અને હજારો લીટર પાણીનો વેડફાટ સર્જાયો છે. ત્યારે ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણી બિન ઉપયોગી રીતે ભોગાવો નદીમાં છોડી દેવામાં આવ્યું છે અને જેનો વેડફાટ થયો છે.


ગુજરાતમાં ફરી કોરોના 'તાંડવ' કરશે! ધીરે ધીરે વાયરસ થઈ રહ્યો છે ઘાતક, જાણો આજનો કેસ


તંત્રની ઘોર બેદરકારીના પગલે ઉનાળાના પ્રારંભિક સમય ગાળામાં જ પાણીનો વેડફાટ થયો છે. ત્યારે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી ચોટીલા સાયલા ધાંગધ્રા પંથકમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. 2 કિમિ દૂર સુધી પીવાનું પાણી ભરવા જવું પડે છે. અને ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી મળતું નથી.


પેટ્રોલ-ડીઝલે કરાવી ગુજરાત સરકારને જોરદાર કમાણી, ખજાનામાં આવ્યા હજારો કરોડો રૂપિયા


બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીથી ધોળીધજા ડેમ વારંવાર છલકાઈ અને ઓવરફ્લો થાય છે અને હજારો લીટર પાણીનો વેડફાટ પણ સર્જાઈ છે. ત્યારે આ મામલે આયોજનમાં ખામી હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે. હાલ ડેમ ઓવરફ્લો થતા મુખ્ય 3 ક્રોઝ-વે પણ પાણીમાં ગરકાવ બન્યા છે. આ ક્રોઝ-વે પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. 


અંબાલાલ પટેલની મોટી આગાહી:આ તારીખો નોંધવી હોય તો નોંધી લેજો,આ જિલ્લાઓમાં હવે ધબધબાટી