રક્ષિત પંડ્યા/ રાજકોટઃ ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે શહેરોના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં પણ પર્યાવરણના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી સરેરાશ તાપમાનમાં વધારો થયો છે. શહેરમાં આવેલી નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે પર્યાવરણ જાળવણીનું બીડું ઝડપી ઓક્સિજન પાર્કની સ્થાપના કરી છે. આ કલબ દ્વારા આજથી એક વર્ષ પહેલાં ઓક્સિજન પાર્કની રચના કરી જુદી-જુદી 150 જેટલી ઔષધિના 3000 જેટલા વૃક્ષોનું જતન કરી લોકોને સ્વસ્થ વાતાવરણ આપવા નવતર પ્રયોગ હાથ ધરાયો છે.
 
નેચર એન્ડ એડવેન્ચર ક્લબના પ્રમુખ ભરતભાઇ સુરેજા આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, " જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી પધ્ધતિ મુજબ રાજકોટમાં ઓક્સિજન પાર્ક રચના કરી આજે મીની જંગલ ઉભું કરવામાં આવ્યું છે.  જેમાં એક જ વિસ્તારમાં નજીક નજીક 3000થી વધુ ઝાડ હોય તે વિસ્તારની ગરમીમાં 5 થી 7 ડિગ્રી જેટલી ઘટાડો થાય છે. તેથી જાપાની સિસ્ટમ મુજબ 4 હજાર ચોરસ મીટર જમીનમાં 150 જાતના વિવિધ ઝાડ ઉગાડવા ટીમ સાથે કાર્ય શરૂ કર્યું છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના કાલાવાડ હાઈવે પર ટ્રક અને ઈકો કાર વચ્ચે ભીષણ અકસ્માત, 7નાં મોત, જુઓ વીડિયો....


'પવન' નામનું નવું વાવાઝોડું સક્રિય, સોમાલિયાથી ગુજરાત તરફ આવી રહ્યું છે


શહેરના એક સ્થાનિક કાન્તિભાઈએ આ અંગે જણાવ્યું કે, "નેચર એન્ડ એડવેન્ચર કલબના લોકો દ્વારા સમયસર પાણી અને ખાતર આપી વૃક્ષોનો યોગ્ય રીતે ઉછેર કરવામાં આવતા આજે એક વર્ષ બાદ વૃક્ષો 8 થી 10 ફૂટ ઉંચાઈ ધરાવતા જોવા મળે છે. પશ્ચિમના દેશોમાં શુધ્ધ ઓક્સિજન લેવા માટે આર્ટિફિશિયલ ઓક્સિજન કેબ બનાવવામાં આવી છે. જ્યાં 15 મિનિટ શુધ્ધ ઓક્ષિજન લેવા માટે 350 થી 400 રૂપિયા લેવામાં આવવા છે. એવી સ્થિતી સામે રાજકોટના આ ઓક્સિજન પાર્કમાં શુધ્ધ અને ઔષધીય ગુણોથી ભરપૂર ઓક્સિજન વિના મૂલ્યે લોકોને મળી રહે તેમ છે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...