રવિ અગ્રવાલ, વડોદરા: કોરોના વાયરસના કહેર વચ્ચે લોકો ઠંડાપીણા બંધ કરી કોરોના થઈ બચવા માટે આયુર્વેદિક ઉકાળા પીતા થઈ ગયા હતા અને છેલ્લા ચાર મહિનાથી લોકોએ આઈસ્ક્રીમ ખાધો જ ન હતો. જો કે, વડોદરામા હવે આયુર્વેદિક આઈસ્ક્રીમ બનાવવામા આવ્યો છે. જી હા અમે આયુર્વેદિક આઈસ્ક્રીમની જ વાત કરી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાનિકોએ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા, લોકોએ અછૂત જેવો વ્યવહાર કર્યો


વડોદરામાં જનતા આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકોએ લોકોની હ્યુમીનીટી પાવર વધે તેવા ઔષધિય વસ્તુનો ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે. વડોદરામાં આયુર્વેદિક આઈસ્ક્રીમ અને થીકશેકનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યુ. આદુ, આમળા, ફુદીનો, ઈલાયચી, તજ, લવિગ, કાળા મરી, મધ, બદામ, હળદરનો ઉપયોગ કરવામા આવ્યો છે.


આ પણ વાંચો:- વડોદરા પોલીસ બેડામાં હાહાકાર, તાલીમ લઈ રહેલા 19 જવાનોને કોરોના નીકળ્યો


વડોદરામાં શરૂ થયેલા આયુર્વેદિક આઈસ્ક્રીમ ખાવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને કોરોનાના ભયના બદલે કોરોના સામે લડવા હ્યુમીનીટી પાવર વધારવા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. દુકાન માલિક ભરત શાહે દાવો કર્યો છે કે, આયુર્વેદિક આઈસ્ક્રીમ હ્યુમીનીટી પાવર વધારે છે. છેલ્લા 20 દિવસથી શરૂ કરી છે. લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube