અમદાવાદ :રાજ્યમાં ચેકપોસ્ટ (Checkpost) નાબૂદ કરવાનો રાજ્ય સરકારે (Gujarat government) ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે 25 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબૂદ થશે. વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરો હવે ઓનલાઈન ફી ચૂકવી શકશે. તો RTOની મોટાભાગની તમામ કામગીરી ઓનલાઈન કરી શકાશે. 25 તારીખથી જ 16 ચેકપોસ્ટ પર કર અને ફી વસૂલાતની કામગીરી બંધ થશે. અને રાજ્યની 221 ITIમાં કાચાં લાયસન્સ (Licence) ની પ્રક્રિયા પણ 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આરટીઓની 7 કામગીરી ઓનલાઈન કરી શકાશે. આ તમામ નિર્ણયો વિશે ગુજરાતની જનતા શું માને છે તે વિશે ઝી 24 કલાકની ટીમે લોકો સાથે વાત કરી હતી. જેમાં તેઓએ કંઈક અલગ જ જણાવ્યું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube